રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટેડિયમમાં ખૂબ ઓછા ફેંસ આવશે તો ભારતમાંથી કોઈ ફેંસ આ મેચ જોવા નહીં જઈ શકે. આ દરમિયાન ભારતીય ટીમમાંથી માત્ર સપોર્ટ સ્ટાફ અને ઓફિશિયલ્સને જ મેચ માટે મંજૂરી મળી શકશે.
કોરોના સંકટ વચ્ચે હાલ સ્પોર્ટ્સની તમામ ઈવેન્ટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. ક્રિકેટનો મહાકુંભ ગણાતી આઈપીએલના પણ રદ્દ કરી દેવામાં આવી છે. આ દરમિયાન આવતીકાલે આઈસીસીની મીટિંગ થવાની છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારો વર્લ્ડકર રમાશે કે રદ્દ થશે તેનો ફેંસલો લેવામાં આવશે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, 2022 સુધી ટી-20 વર્લ્ડકપ ટાળવામાં આવી શકે છે.