નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 અને વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટી-20 અને વનડે ટીમમાંથી મહેન્દ્રસિંહ ધોની અને જસપ્રીત બુમરાહ એકવાર ફરી બહાર કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.


ટી20માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી થઈ છે. જ્યારે વનડે અને ટી 20માં ભુવનેશ્વર કુમારની વાપસી થઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોનીને ટીમમાં સ્થાન નહીં આપવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટે ટી-20 વર્લ્ડકપ 2020ને ધ્યાનમાં રાખીને લીધો હતો.

ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટી-20 મેચ અને ત્રણ વનડે મેચની સીરિઝ રમશે. ટી-20 મેચ 6, 8 અને 11 ડિસેમ્બરના રોજ મુંબઈ, થિરુવનંથપુરમ અને હૈદરાબાદમાં રમાશે. જ્યારે ત્રણ વનડે 15, 18 અને 22 ડિસેમ્બરના ના રોજ ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ અને કટક ખાતે રમશે.

ટી20 માટે ટીમ ઈન્ડિયા:
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા, વાશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી