નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં સારા પ્રદર્શનની અસર હવે ખેલાડીઓ પર દેખાશે. કેમકે ટીમ ઇન્ડિયાએ આવા ખેલાડીઓને બિઝનેસ ક્લાસની ટિકીટ આપવાની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયા જ્યારે વાયજેગ ટેસ્ટ દરમિયાન ફ્લાઇટમાં સફર કરી રહી હતી તો તે દરમિયાન મોહમ્મદ શમીને અપગ્રેડ કરીને તેને બિઝનેસ ક્લાસની ટિકીટ આપવામાં આવી હતી. વળી, આ પહેલા વાળી મેચમાં ઇશાંત શર્માને આ સુવિધા મળી હતી. એટલે કે ટીમ ઇન્ડિયામાં નવી વસ્તુની શરૂઆત થઇ છે, જ્યાં બેસ્ટ પ્રદર્શન દેખાશે ત્યાં તે ખેલાડીઓને બિઝનેસ ક્લાસની ટિકીટ આપવામાં આવશે. ટીમના દરેક ખેલાડીને આ સુવિધા નથી મળી શકતી કેમકે આમાં સીટો ઓછી હોય છે.
એટલે ટીમ મેનેજમેન્ટે એવી જાહેરાત કરી છે કે રિવોર્ડ રૂપમાં બેસ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ સુવિધા મળશે.