IPL પર ફરી ખતરો, જાણો કોને કોરોનાનો ચેપ લાગતાં ક્રિકેટરોમાં મચ્યો છે ખળભળાટ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Sep 2020 09:39 AM (IST)
યુએઈમાં કોવિડ-19ને લઈને બહુ જ કડક પ્રોટોકોલ લાગુ છે. આ માટે આઈસીસીની ઓફિસ હવે થોડા દિવસ માટે બંધ રહેશે. ઓફિસ બંધ રહેવાના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
NEXT PREV
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની દુબઈ ઓફિસ સંપૂર્ણ રીતે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. એકસાથે ઘણાં કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને ખળભળાટ મચી ગયો હતો. યુએઈના હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રોટોકોલ પ્રમાણે આ તમામ કર્મચારીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે થોડા દિવસ આઈસીસીનું હેડક્વાર્ટર બંધ રહે તેવી શક્યતા છે. જેના કારણે દુબઈમાં આસીસી એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહેલી આઈપીએલની ટીમો પર અસર પડી શકે છે. સુત્રો પ્રમાણે, યુએઈમાં કોવિડ-19ને લઈને બહુ જ કડક પ્રોટોકોલ લાગુ છે. આ માટે આઈસીસીની ઓફિસ હવે થોડા દિવસ માટે બંધ રહેશે. ઓફિસ બંધ રહેવાના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ આઈસીસીની આખી ઓફિસ સેનેટાઈઝ કરવામાં આવશે. પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે બહુ જ રાહતના સમાચાર પણ આવ્યા છે. દુબઈથી દૂર આવેલા છ ટમી આઈસીસી એકેડમીના મેદાન પર પ્રેક્ટિસ ચાલુ રાખી શકશે. આઈસીસીની તમામ એકેડમી દુબઈની ઓફિસથી દૂર છે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આઈસીસી તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ બોર્ડના એક સીનિયર સદસ્યે આ અંગે પૃષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, થોડા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ સીનિટર સદસ્યે એ પણ કહ્યું હતું કે, આઈસીસી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઈસીસીના કોવિડ-19 પોઝિટિવ કેસ મળેલા કર્મચારીઓને કોરેન્ટાઈનમાં છે. આ સિવાય જે કર્મચારી પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા કર્મચારીઓએ પણ પોતાની જાતે કોરેન્ટાઈન થઈ ગયા છે.