IPL New Teams Announced: વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 ક્રિકેટ લીગ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) માં વધુ બે નવી ટીમો ઉમેરાઈ છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 8 ટીમો ભાગ લેતી હતી. બે નવી ટીમો ઉમેરાયા બાદ આગામી વર્ષથી 10 ટીમો લીગમાં રમશે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 8 ટીમો ભાગ લેતી હતી. આઈપીએલની બે નવી ટીમો લખનૌ અને અમદાવાદની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી.



બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજીવ ગોયન્કાની માલિકીની આરપીએસજી ગ્રુપે 7000 કરોડથી વધુની બોલીમાં લખનૌ ફ્રેન્ચાઈઝી માટે દાવો કર્યો છે. તે જ સમયે, CVC કેપિટલ પાર્ટનરને અમદાવાદની ફ્રેન્ચાઇઝી મળી છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સીવીસી કેપિટલે રૂ. 5,000 કરોડથી વધુની બિડ સાથે બીજી આઈપીએલ ફ્રેન્ચાઈઝી ખરીદી છે.



ગોએન્કા બે વર્ષથી પુણે ફ્રેન્ચાઇઝ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ (RPS)ના માલિક છે અને ISL (ઇન્ડિયન સુપર લીગ) ફ્રેન્ચાઇઝી ATK મોહન બાગાનના માલિક પણ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી બે ટીમની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદ અને લખનઉ બે શહેરોની એન્ટ્રી આઈપીએલમાં થઈ ગઈ છે. અમદાવાદની ટીમને 7090 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ ખરીદી છે. તો લખનઉની ટીમની બિડ RPSG ગ્રુપે જીતી છે. 


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સીઝનમાં વધુ બે ટીમ સામે કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે બિડ મંગાવવામાં આવી હતી. અનેક કંપનીઓએ બિડ ભરી હતી. અમદાવાદની ટીમ ખરીદવા માટે અદાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું. પરંતુ અંતે અમેરિકી સ્થિતસીવીસી કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ટીમ મળી છે. તો RPSG ગ્રુપ જે આ પહેલા આઈપીએલમાં પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે. 


આઈપીએલમાં આગામી વર્ષથી હવે આઈપીએલમાં 10 ટીમ જોવા મળશે. આ પહેલા પણ 2011ની સીઝનમાં 10 ટીમ રમી ચુકી છે. હવે આઈપીએલમાં મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રિટેન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે.