નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનમાં આજે ધોનીની ટીમ વોર્નરની ટીમ સામે ટકરાવવાની છે. સીએસકે અને એરઆરએચ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે, કેમકે ચેન્નાઇ અગાઉની મેચ હારી ચૂકી છે જ્યારે હૈદરાબાદ અગાઉની મેચ જીતીને પુરેપુરા આત્મવિશ્વાસ સાથે છે. જોકે, આ બધાની વચ્ચે રાયડુ ફીટ થવાથી ધોનીને થોડી રાહત મળી શકે છે.


આઇપીએલની ઉદઘાટન મેચ દરમિયાન મુંબઇ સામે ચેન્નાઇનો મેચ વિનર હીરો અંબાતી રાયડુ અને કેરેબિયન ઓલરાઉન્ડ બ્રાવો ઇજાગ્રસ્ત થયા હતા, અને પછીથી હજુ સુધી આઇપીએલની એકપણ મેચ રમી શક્યા નથી.

ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કેએસ વિશ્વાનાથને ગુરુવારે કહ્યું કે, રાયડુ અને બ્રાવો બન્ને પસંદગી માટે અવેલેબલ છે. સનસાઇઝર્સ અને ચેન્નાઇની ટીમોને પહેલાથી જ આઇપીએલમાં સંતુલિત માનવામાં આવી રહી છે. આ વખતે બન્ને પહેલી ત્રણ મેચમાં બે-બે વાર હારનો સામનો કર્યો છે. આનુ મુખ્ય કારણ મીડિલ ઓર્ડર બેટિંગ છે. ખાસ વાત છે કે ફીટ થયેલા રાયડુને મુરલી વિજયની જગ્યાએ સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે બ્રાવો માટે ધોનીને આખી પ્લેઇંલ ઇલેવનમાં ફેરફાર કરવો પડી શકે છે.

કેવી છે બન્ને ટીમ?
ચેન્નાઇ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાક ડૂ પ્લેસીસ, શેન વૉટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગીડી, દીપક ચાહર, પિયુષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સેન્ટનર, જોશ હેઝલવુડ, શાર્દૂલ ઠાકુર, સેમ કરન, એન જગદીસન, કેએમ આસિફ, મોનૂ કુમાર, આર સાઇ કિશોર, ઋતુરાજ ગાયકવાદ, કર્ણ શર્મા.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિદ્દીમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, બી સંદિપ શર્મા, સંજય યાદવ, ફેબિયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિદ્વાર્થ કૌલ, વિલી સ્ટાનલેક, ટી નટરાજન, બાસિલ થમ્પી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ