નવી દિલ્હીઃ  કોરોના વાયરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયન સરકારે આગામી છ મહિના સુધી પોતાની સરહદો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેની અસર ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર પડી શકે છે. ટીમ ઇન્ડિયા આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાની છે.

ભારતનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ઓક્ટોબરમાં ટી-20 સીરિઝ સાથે શરૂ થવાનો છે અને ડિસેમ્બરમાં ટેસ્ટ સીરિઝ સાથે ખત્મ થશે. આ વચ્ચે ઓક્ટોબરમાં ટી-20 સીરિઝ વર્લ્ડકપ શરૂ થવાનો છે પરંતુ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટના કારણે તેના ભવિષ્ય પર અનિશ્વિતતા છે.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 2000થી વધુ પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે 16 લોકોના મોત થયા છે. જેના કારણે સરકારે સરહદ સીલ કરી છે.