Rishabh Pant Injury Update: બેંગલુરુ ટેસ્ટ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી શરૂ થવાની છે, જે પુણેમાં રમાશે, પરંતુ બીજી મેચની શરૂઆત પહેલા ઋષભ પંતની ઈજા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. પંતને પ્રથમ ટેસ્ટ મેચમાં જમણા ઘૂંટણમાં બોલ વાગતા ઈજા થઈ હતી. આ કારણે તે બીજા દિવસ પછી વિકેટ કીપિંગ કરતો જોવા મળ્યો ન હતો.


હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, પસંદગીકારોએ ઋષભ પંતને રમવા કે નહીં રમવાનો નિર્ણય સંપૂર્ણપણે ટીમ મેનેજમેન્ટ પર છોડી દીધો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દિવસ પછી ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો. તેથી, જો પંત બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં તો ધ્રુવ જુરેલનું પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત બની જશે. જુરેલે ભારત માટે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 63.33ની એવરેજથી 190 રન બનાવ્યા છે. આ વર્ષે તેણે ઈંગ્લેન્ડ સામે 90 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ટીમ મેનેજમેન્ટ દ્વારા ધ્રુવ જુરેલને ટેસ્ટ કરાવવો ટીમ ઈન્ડિયાના હિતમાં હોઈ શકે છે. કારણ કે તે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બીજી તરફ, ગયા રવિવારે રિષભ પંતે કહ્યું હતું કે જીવનમાં અને કરિયરમાં ઉતાર-ચઢાવ આવશે, પરંતુ તેણે દરેક વખતે હિંમતભેર તેનો સામનો કરવો પડશે.


ભારતને હારથી બચાવી ના શક્યો ઋષભ પંત - 
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજીતરફ, જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની જંગી લીડ મેળવી લીધી હતી. આવી સ્થિતિમાં ભારતને બીજા દાવમાં જીતનો માર્ગ મોકળો કરવા માટે કિવી ટીમ કરતા મોટો સ્કોર કરવાની જરૂર હતી. પંતે ભારતની બીજી ઇનિંગમાં 99 રનની મહત્વની ઇનિંગ રમી હતી અને 150 રન બનાવનાર સરફરાઝ ખાન સાથે 177 રનની ભાગીદારી પણ કરી હતી. પરંતુ પંત-સરફરાઝની આ ઈનિંગ્સ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં નિષ્ફળ સાબિત થઈ.


આ પણ વાંચો


T20 WC: સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું ન્યૂઝીલેન્ડ, જુઓ ટીમની ઉજવણીની તસવીરો