BCCI Sends Warning To Indian Team Support Staff: વર્ષ 2013માં છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમ આઈસીસી ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે પરંતુ હજુ પણ વિજેતા બનવામાં સફળ થઈ શકી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓની સાથે ટીમના સપોર્ટ સ્ટાફની પણ ટીકા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હવે ટીમના સપોર્ટ સ્ટાફને ચેતવણી આપી છે.


WTC ફાઇનલમાં ભારતીય ટીમના પ્રદર્શન બાદ ઇનસાઇડ સ્પોર્ટ્સમાં જાહેર થયેલા રિપોર્ટમાં બીસીસીઆઇના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે વન-ડે વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને આ હાર બાદ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અંગે ચર્ચા થશે.


બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે આ બધી વસ્તુઓ એટલી સરળ નથી. આપણે એમ ન કહી શકીએ કે બધી વસ્તુઓ સારી નહોતી. અમે ભારતમાં જીતવામાં સફળ રહ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ મજાક નથી. પરંતુ વિદેશ પ્રવાસમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. દરમિયાન, આપણે વન-ડે વર્લ્ડ કપને પણ ધ્યાનમાં રાખવો જોઈએ, જેને ફક્ત 4 મહિના બાકી છે. આપણે વિચાર્યા વિના પ્રતિક્રિયા આપી શકતા નથી. પરંતુ ચોક્કસપણે આંતરિક ચર્ચા થશે.


ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 2023 વન-ડે વર્લ્ડકપ સુધી આ જવાબદારી નિભાવતા જોવા મળી શકે છે. એશિયા કપ, ટી-20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ પણ બોર્ડને તેમના પર વિશ્વાસ છે. વન-ડે વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શનના આધારે દ્રવિડની સ્થિતિ પર વધુ ચર્ચા કરવામાં આવશે.


રોહિત શર્માની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસ માટે રવાના થવાની છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં માત્ર રોહિત જ ટીમની કમાન સંભાળશે. જો કે, જો રોહિત ડોમિનિકા અથવા પોર્ટ ઓફ સ્પેનમાં (20 થી 24 જુલાઈ) યોજાનારી બીજી ટેસ્ટમાં કોઈ મોટી ઇનિંગ્સ નહીં રમે, તો BCCI ટોચના અધિકારીઓ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર આકરો નિર્ણય લેવાનું દબાણ હશે