Rohit Sharma The Great Indian Kapil Show: કોઈપણ ભારતીય ચાહક સૂર્યકુમાર યાદવના તે કેચને ભૂલી શકશે નહીં, જેણે ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોહિત શર્મા પણ એક વખત વિચારી રહ્યો હતો કે ડેવિડ મિલરે સિક્સ ફટકારી છે, પરંતુ સૂર્યાના કેચથી કેપ્ટન સહિત બધાને આશ્ચર્ય થયું હતું. આમ છતાં હવે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'માં રોહિત શર્માએ ભારતની જીતનું મુખ્ય કારણ સૂર્યા નહીં પણ ઋષભ પંતને ગણાવ્યું છે.


રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે અપનાવેલી માનસિકતા વિશે જણાવ્યું. તેણે કહ્યું, "ફાઇનલ મેચમાં, ઋષભ પંતની વ્યૂહાત્મક વિચારસરણીએ કદાચ અમારી જીતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાને 24 બોલમાં 26 રનની જરૂર હતી, ત્યારે મેચ થોડી ક્ષણો માટે અટકાવી દેવામાં આવી હતી. ઋષભ પંતે સમયનો શાનદાર ઉપયોગ કરીને ધ્યાન ભટકાવવા માટે બેટ્સમેન ઈજાગ્રસ્ત હોવાનો ડોળ કરીને તે ક્ષણ પછી મેચ ખૂબ જ ધીમી થઈ ગઈ હતી.


ઋષભ પંતના કારણે પલટાઇ ગઇ મેચ 
એકસમયે દક્ષિણ આફ્રિકાએ 13 ઓવરમાં 109 રન બનાવ્યા હતા અને ટીમને 7 ઓવરમાં 69 રનની જરૂર હતી. ત્યારબાદ 14મી ઓવરમાં ડેવિડ મિલરે કુલદીપ યાદવની ઓવરમાં 14 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઓવરમાં હેનરિક ક્લાસને અક્ષર પટેલની ઓવરમાં 24 રન બનાવ્યા હતા. જેના કારણે મેચનો ટ્રેન્ડ સંપૂર્ણપણે દક્ષિણ આફ્રિકા તરફ ગયો હતો. પરંતુ પંત ​​દ્વારા લેવામાં આવેલા બ્રેક બાદ રન રેટ ઘણો ધીમો પડી ગયો હતો. ટીમે 2 ઓવરમાં 38 રન બનાવી લીધા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લી 4 ઓવરમાં માત્ર 17 રન જ બનાવી શકી હતી.


આ પણ વાંચો


Watch: રોહિત શર્મા 'પબ્લિક ડિમાન્ડ' પર ODI વર્લ્ડ કપ 2027 રમશે! મોટી માહિતી બહાર આવી છે