મુંબઇઃ દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ હરકતમાં આવ્યુ છે. સુત્રો અનુસાર ભારતીય ટીમના આગામી ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરીઝ ભારતમાં નહીં પરંતુ યુએઇમાં રમાડાઇ શકાય છે.


કૉવિડ-19ના કારણે ભારતીય ટીમની ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીમાં મોડુ થઇ શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝ આગામી જાન્યુઆરીએ રમાનારી છે. શનિવારે બીસીસીઆઇ અને સંયુક્ત આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ કરારમાં બન્ને દેશોના ક્રિકેટ બોર્ડના વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કહેવામાં આવી છે.

શનિવારે યુએઇ ક્રિકેટ બોર્ડની સાથે બેઠકમાં બીસીસીઆઇના અધ્યક્ષ, સચિવ અને કોષાધ્યક્ષ સામેલ થયા હતા. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે એબીપી ન્યૂઝને કહ્યું કે, હાલ બીસીસીઆઇની આ વર્ષની આઇપીએલ સુધી જ આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની સાથે કરાર છે, પરંતુ બોર્ડ સુત્રો અનુસાર 2021ના ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સીરીઝ સંયુક્ત આરબ અમિરાતમાં રમાવવાની પુરેપુરી સંભાવના છે, સાથે સાથે આગામી આઇપીએલ પણ યુએઇમાં યોજવામાં આવી શકે છે.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પહેલા જ બીસીસીઆઇથી આગામી વર્ષ જાન્યુઆરીમાં યોજાનારી સીરીઝનુ આયોજન યુએઇમાં કરવાની અપીલ કરી ચૂક્યુ છે. હવે બોર્ડ સુત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે આ સીરીઝનુ યુએઇમાં આયોજિત થવાની સંભાવના વધી રહી છે.

ભારતમાં દરરોજ કોરોના વાયરસના લગભગ એક લાખ કેસો સામે આવી રહ્યાં છે. જો કોરોનાના કેસની ઝડપ વધતી રહેશે તો ભારત આ વર્ષના અંત સુધી મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ