નવી દિલ્હીઃ પાર્થિવ પટેલનું નામ તમામ ક્રિકેટ ફેન્સે સાંભળ્યું હશે. સ્કૂલના આ યુવકે 17 વર્ષની ઉંમરમાં જ ટીમ ઇન્ડિયામાંડેબ્યૂ કર્યું હતું અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સીરિઝ રમી હતી. જોકે ધોનીના ડેબ્યૂ અને ટીમમાં તેના સતત શાનદાર પ્રદર્શનને કારણે પાર્થિવ પટેલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે 35 વર્ષના આ ખેલાડી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રણજીટ્રોફીમાં ગુજરાત માટે રમે છે.


હાલમાં જ એક ચેટ દરમિયાન પાર્થિવે ખુલાસો કર્યો કે તેણે પોતાના સમગ્ર ક્રિકેટ કારકિર્દીમાં માત્ર 9 આંગળી સાથે જ રમ્યા હતા. તેણે કહ્યું કે, જ્યારે તે 6 વર્ષના હતા ત્યારે તેણે પોતાની એક આંગળી ગુમાવી દીધી હતી. પાર્થિવે ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન કહ્યું કે, જ્યારે તે 6 વર્ષના હતાત્યારે તેની એક આંગળી કપાઈ ગઈ હતી. ત્યાર બાદ તે માત્ર 9 આંગળીની સાથે જ રહ્યા. તેણે કહ્યું કે, 9 આંગળીની સાથે તેણે રમવામાં ઘણી મુશ્કેલી થઈ કારણ કે કપાયેલી આંગળી વિકેટકીપિંગ ગ્લવ્સમાં જઈ શકતીન હતી તો તે બીજી આંગળીની સાથે ટેપ લગાવી દેતા હતા જેથી ગ્લવ્સમાં અંતિમ બન્ને આંગળી એક સાથે રહે.

પાર્થિવે જણાવ્યું કે, જો તમામ આંગળીઓની સાથે રમ્યો હોત તો વાત જ અલગ હોત. પરંતુ જ્યારે પણ તે પાછળ વળીને જોવે છે તો તે ટીમ ઇન્ડિયાના એ સોનેરી દિવસો યાદ કરે છે. વર્ષ 2002માં ડેબ્યૂ કરનાર પાર્થિવે વર્ષ 2033માં ટીમમાં સામેલ કરવામાં આવ્યા હા. પાર્થિવે પોતાની અંતિમ મેચ વર્ષ 2008માં આફ્રિકા વિરૂદ્ધ રમી હતી જ્યારે વર્ષ 2016-17ની રણજી ટ્રોફીમાં ગુજરાતનું નેતૃત્વ કર્યું હતું. પાર્થિવ પટેલ એ દરમિયાન કેપ્ટન હતા અને તેણે 143 બોલમાં 90 રન બનાવ્યા હતા જ્યાં ફાઈનલ દરમિયાન બન્ને ઇનિંગ્સમાં મુંબઈ વિરૂદ્ધ તેનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું.