એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડના હાથે મળેલી હારને કોઈ પચાવી શકે તેમ નથી. ભારતને આ મેચમાં સાત વિકેટથી હારનો સામનો  કરવો પડ્યો હતો. હવે ભારતે ઈંગ્લેન્ડ સામે ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે. કોરોનાને કારણે ટેસ્ટમાં ભાગ ન લઈ શકનાર ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટમાં મળેલી હાર પર નિવેદન આપ્યું હતું.


T20 સિરીઝની શરૂઆત પહેલા રોહિત શર્માએ એજબેસ્ટન ટેસ્ટ વિશે કહ્યું હતું કે ટીમના સાથીઓએ ખૂબ મહેનત કરી છે. અમારી ટીમ વિજેતા બનવી જોઇતી હતી. ભારતે આ ટેસ્ટ સીરિઝમાં જીત મેળવવી જોઇતી હતી. તે ખૂબ જ નિરાશાજનક છે કે અમે મેચ જીતી શક્યા નથી.


રોહિત શર્માએ કહ્યું કે હવે સમય જ કહેશે કે એજબેસ્ટન ખાતેની હાર આગામી ટી20 અને વનડે શ્રેણી પર કેવી અસર કરશે. કારણ કે ટેસ્ટ એક અલગ ફોર્મેટ છે.


ઉલ્લેખનીય છે કે એજબેસ્ટન ટેસ્ટની શરૂઆત પહેલા જ રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આવી સ્થિતિમાં તે આ મેચ રમી શક્યો ન હતો અને તેના સ્થાને જસપ્રીત બુમરાહે કેપ્ટન બનાવાયો હતો.


જો એજબેસ્ટન ટેસ્ટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા 7 વિકેટે મેચ હારી ગઇ હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં  416 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ 284 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ખરાબ બેટિંગ કરી અને માત્ર 245 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને જીતવા માટે 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.


Gold Price: સોનાં-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, સોનું 750 રૂપિયાથી વધુ સસ્તું, ચાંદીનાં ભાવ 1250 રૂપિયા ઘટ્યા, જાણો લેટેસ્ટ ભાવ


IND vs ENG Head To Head: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાઈ છે 19 T20 મેચ, જાણો કોનું પલ્લું ભારે


Watch : પોરબંદરના દરિયામાં જહાજમાં ફસાયેલા એક પાકિસ્તાની અને 20 ભારતીય સહિત 22 લોકોનું ધ્રુવ હેલિકોપ્ટરથી કરાયું દિલધડક રેસ્ક્યૂ


Income Tax Raid Update: Dolo - 650 દવા બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, કોરોનાકાળમાં વેચી અધધ ટેબલેટ