કોરોના નહીં પરંતુ આ કારણે આ વખતે આઇપીએલમાંથી ખસી ગયો છે હરભજન, તેના જ મિત્રએ કર્યો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Sep 2020 10:39 AM (IST)
હરભજનના એક મિત્રએ સ્પષ્ટ કર્યુ છે કે પુરેપુરી રીત વ્યક્તિગત હતો, અને આઇપીએલમાંથી બહાર થયા બાદ ઓફ સ્પિનરના ફેંસલામાં દુબઇની સ્થિતિ કોઇ પ્રભાવ ન હતો.
મુંબઇઃ અનુભવી સ્પિનર હરભજન સિહે શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની આ વર્ષની સિઝનમાં આઇપીએલ ના રમવાનુ નક્કી કર્યુ છે, આ સાથે ચેન્નાઇને રૈના બાદ આ બીજો મોટો ફટકો લાગ્યો છે. હરભજન સિંહ ગયા અઠવાડિયે ચેન્નાઇમાં પ્રી-સિઝન શિબિરમાં ભાગ ન હતો લીધો અને ટીમની સાથે યુએઇ પણ ન હતા ગયા. થોડાક દિવસો પહેલા હરભજન સિંહ આઇપીએલમાંથી હટી જવાની વાત કહી હતી, આ માટે દુબઇ અને બધી જગ્યાએ કોરોનાના વધતા પ્રકોપનું કારણ આગળ ધરવામાં આવ્યુ હતુ. ગયા અઠવાડિયા દુબઇમાં કોરોનાની સ્થિતિ બગડી હતી, અને સીએસકે કેમ્પના બે ખેલાડીઓ સહિત 13 સભ્યો કોરોના પૉઝિટીવ થયા હતા. જોકે, હરભજનના એક મિત્રએ સ્પષ્ટ કર્યુ છે કે પુરેપુરી રીત વ્યક્તિગત હતો, અને આઇપીએલમાંથી બહાર થયા બાદ ઓફ સ્પિનરના ફેંસલામાં દુબઇની સ્થિતિ કોઇ પ્રભાવ ન હતો. હરભજન સિંહ નિશ્ચિત રીતે સીએસકે માટે એક મોટો ઝટકો હશે. ખાસ કરીને યુએઇની સ્પિન-અનુકુળ પરિસ્થિતિઓમાં. જમણા હાથનો સ્પિનર આઇપીએલના ઇતિહાસમાં 150 સ્કેલની સાથે ત્રીજો સૌતી વધુ વિકેટ લેવાવાળો બૉલર છે, અને છેલ્લી બે સિઝનથી સીએસકે માટે રમી રહ્યો છે.