ICC ODI World Cup 2023: ICC એ 2023 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ક્રિકેટના આ મહાકુંભની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે.  ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે . સમગ્ર ટૂર્નામેન્ટનું શેડ્યૂલ સામે આવી ગયું છે. જો કે અત્યાર સુધીના શેડ્યૂલ મુજબ સેમી ફાઈનલ મેચ મુંબઈમાં યોજાશે, પરંતુ જો સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તો શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવશે.


જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) 2023  ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવા અંગે હજુ પણ આશંકિત છે, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને વિશ્વાસ છે કે બાબર આઝમની આગેવાનીવાળી ટીમ ભારતમાં 50 ઓવરની વર્લ્ડ કપ રમશે


કોલકાતાના આઇકોનિક ઇડન ગાર્ડન્સમાં એક સેમીફાઇનલ જ્યારે મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ બીજી સેમીફાઇનલનું આયોજન કરશે. જો કે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તો મેચ કોલકાતામાં યોજાશે. જ્યારે અન્ય પ્રતિસ્પર્ધીના કિસ્સામાં મેચ મુંબઈમાં યોજાશે. જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે, તેઓ કોલકાતામાં સેમિફાઇનલ રમશે.


જણાવી દઈએ કે આઈસીસી અને બીસીસીઆઈએ તૈયારીઓ કરી લીધી છે. જો સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તો સ્થળ બદલવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની ટીમો સેમીફાઈનલમાં મુંબઈને બદલે કોલકાતામાં રમશે.


વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત બાદ પીસીબીએ સ્પષ્ટ કહ્યું કે તેનું રમવાનું સરકારની મંજૂરી મેળવવા પર નિર્ભર છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું કે વર્લ્ડ કપમાં અમારું રમવું અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમવું અથવા સેમીફાઈનલમાં પહોંચ્યા પછી મુંબઈમાં રમવું એ સરકારની મંજૂરી મેળવવા પર નિર્ભર છે.


પાકિસ્તાન છેલ્લે 2016 T20 વર્લ્ડ કપમાં ભારતમાં રમ્યું હતું. બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોમાં તણાવના કારણે બંને ટીમો માત્ર ICC ટુર્નામેન્ટ અથવા એશિયા કપમાં જ એકબીજા સાથે રમે છે. તે લગભગ નિશ્ચિત હતું કે બે મેચો ખસેડવાની પાકિસ્તાનની વિનંતીને BCCI દ્વારા ઠુકરાવી દેવામાં આવશે, કારણ કે તે સામાન્ય રીતે સુરક્ષા જોખમની સ્થિતિમાં જ આવી વિનંતીઓ સ્વીકારે છે.


પાકિસ્તાનની ટીમ કુલ 9 મેચ રમશે, 15 ઓક્ટોબરે ભારત સામે ટકરાશે


2023 ODI વર્લ્ડ કપ પણ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. છેલ્લો વર્લ્ડ કપ પણ આ ફોર્મેટમાં રમાયો હતો. મતલબ કે તમામ ટીમો ટૂર્નામેન્ટમાં કુલ 9-9 મેચ રમશે. આ ફોર્મેટમાં કોઈ જૂથ સિસ્ટમ નથી. તમામ ટીમો એકબીજા સામે એક મેચ રમે છે. તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપમાં 9 મેચ રમશે. 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે મુકાબલો હશે.