World Test Championship: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે આગામી 9 ફેબ્રુઆરીથી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-23 ની ફાઇનલમાં પહોંચવા માટે આ એકદમ અને ખુબ મહત્વની સીરીઝ છે. આ સીરીઝનુ પરિણામ ઘણી હદે WTC ફાઇનલિસ્ટ ટીમો નક્કી કીર દેશે. આ સીરીઝની સાથે જ WTC અંતર્ગત બીજી બે ટેસ્ટ સીરીઝ પણ રમવાની બાકી છે. આ બે સીરીઝનું પરિણામ પણ WTC ફાઇનલની દાવેદારી નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. 


ઓસ્ટ્રેલિયા માટે આસાન છે રાહ - 
હાલ WTC પૉઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબર પર છે, અને ભારતીય ટીમ બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા ટીમ જો ભારત વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સીરીઝમાં 0-3 થી હાર પણ જાય છે, તો તે ફાઇનલમાં પહોંચી જશે. જોકે, 0-4ની હારમાં તેને અન્ય બે ટેસ્ટ સીરીઝના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. આમ પણ ઓસ્ટ્રેલિયાની ક્લિન સ્વીપ થવુ ખુબ જ જરૂરી છે. આવામાં તેનું WTC ફાઇનલ રમવું નક્કી છે. 


વળી, જો ભારતીય ટીમ આ સીરીઝ 3-1થી જીતી લે છે, તો તે પણ ફાઇનલમાં પહોંચી જશે. જો ભારતીય ટીમ આ પ્રદર્શન થોડુ બહુજ ઓછુ રહે છે, કે ટેસ્ટ સીરીઝ હારી જાય છે, તો તેનુ WTC ફાઇનલમાં પહોંચવાનો મોકો રહેશે. પરંતુ આ માટે તે અન્ય બે સીરીઝના પરિણામ પર જ નિર્ભર રહેવુ પડશે. 


જો ભારતીય ટીમ હારી તો WTC ફાઇનલમાં કઇ રીતે પહોંચશે ?
એ નિર્ભર કરે છે કે ભારતીય ટીમ કયા અંતરથી સીરીઝ હારે છે, એટલે કે 2-1 કે 3-1 કે 4-0 વગેરે, જો ભારતીય ટીમ એકતરફી સીરીઝ નથી હારતી, એટલે કે નજીકથી હારી જાય છે, તો તેની પાસે WTC ફાઇનલમાં પહોંચવાનો મોકો રહેશે. આ માટે સૌથી પહેલા તો ભારતને એ આશા રાખવી પડશે કે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી બે મેચોની ટેસ્ટ સીરીઝમાં ન્યૂઝીલેન્ડની જીત થાય. જો ન્યૂઝીલેન્ડ આ સીરીઝ 2-0 થી જીતી જાય છે તો ભારત માટે વધુ આસાન બની જશે. પછી ભારતને એવી પણ દુઆ કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાનારી બે મેચોની ટેસ્ટ સીરીઝમાં દક્ષિણ આફ્રિકાની હાર થાય.