ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યોને કોરોના થયા બાદ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચ રદ કરવામાં આવી હતી. શ્રેણીની છેલ્લી મેચ ક્યારે રમાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટે કહ્યું છે કે બંને ટીમો વચ્ચે શ્રેણીની પાંચમી ટેસ્ટ આવતા વર્ષે જુલાઈમાં યોજાશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ઈંગ્લેન્ડ ક્રિકેટને ટાંકીને કહ્યું છે કે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચ ફરી રમાવાનું નક્કી થયું છે અને હવે તે જુલાઈ 2022 માં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રદ થયેલી માન્ચેસ્ટર ટેસ્ટ ફરીથી રમવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હવે આવતા વર્ષે એટલે કે જુલાઈ 2022 માં બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે.


ટેસ્ટ શ્રેણીનું પરિણામ પણ આ મેચ બાદ જ નક્કી થશે. પ્રથમ ચાર મેચમાં બે જીત બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ECB એ શુક્રવાર, 22 ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડીને નવા અપડેટ વિશે માહિતી આપી હતી. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.



ટેસ્ટ મેચ રદ થયા બાદથી ભારતીય બોર્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ વચ્ચે  મેચના ફરી આયોજન અને શ્રેણીનું પરિણામ નક્કી કરવા અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. હવે લગભગ દોઢ મહિનાની રાહ જોયા બાદ તે સહમત થયા છે. ભારતીય ટીમે આવતા વર્ષે વનડે અને T-20 શ્રેણી માટે જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. અને તે પ્રવાસ હવે ટેસ્ટ મેચથી શરૂ થશે. આ મેચ 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન મેદાન પર રમાશે.


આ મુદ્દે બંને બોર્ડ વચ્ચે કરાર થયા બાદ શુક્રવાર 22 ઓક્ટોબરના રોજ આ નિર્ણય વિશે માહિતી આપી હતી. ECB એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ પુરુષ અને ભારતીય પુરુષ ટીમ વચ્ચે LV ઇન્સ્યોરન્સ ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચનું શેડ્યૂલ જે જુલાઈ 2022 માં રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ વચ્ચેની સહમતી બાદ નિર્ણાયક ટેસ્ટ 1 જુલાઈ 2022 થી એજબેસ્ટન (બર્મિંગહામ) ખાતે રમાશે.