Suryakumar Yadav Captain Team India in Ireland T20 Series: ટીમ ઈન્ડિયા આવતા મહિને ત્રણ મેચની T20 સિરીઝ રમવા માટે આયર્લેન્ડ જશે. આ શ્રેણીમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. તેમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ પણ સામેલ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આયર્લેન્ડ સામેની સીરીઝમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.


T20 ઈન્ટરનેશનલમાં વિશ્વના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આયર્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. જણાવી દઈએ કે જ્યારથી હાર્દિક પંડ્યા ટી20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, ત્યારથી સૂર્યા ટીમનો વાઇસ કેપ્ટન છે. આવી સ્થિતિમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યાને કેપ્ટન માનવામાં આવે છે. જો કે, અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આયર્લેન્ડ સામેની શ્રેણીમાં કેપ્ટન રહેશે.


હાર્દિક અને શુભમનને આરામ મળશે


તમને જણાવી દઈએ કે 18 ઓગસ્ટથી ટીમ ઈન્ડિયા આયરલેન્ડ સામે ત્રણ મેચની T20 સીરિઝ રમશે. જો અહેવાલોનું માનીએ તો આગામી વનડે વર્લ્ડ કપ અને એશિયા કપને ધ્યાનમાં રાખીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર શુભમન ગિલને આયર્લેન્ડ સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવશે.


ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે હજુ કંઈ નક્કી નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 સિરીઝ બાદ હાર્દિક પંડ્યા કેવો અનુભવ કરે છે અને તે શું ઈચ્છે છે તેના પર પણ નિર્ભર રહેશે. તેણે આ સિરીઝમાં ઘણો પ્રવાસ કરવો પડશે. આવી સ્થિતિમાં એશિયા કપ અને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી છે. જોકે, હાર્દિક વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન પણ છે.


ભારતીય ટીમ 18 થી 23 ઓગસ્ટ દરમિયાન ત્રણ મેચની T20 શ્રેણી માટે આયર્લેન્ડના પ્રવાસે જશે. આ પછી 30 ઓગસ્ટથી એશિયા કપ 2023 રમાશે. આયર્લેન્ડ સામેની શ્રેણીમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળવાની આશા છે. આમાંના મોટાભાગના ખેલાડીઓ એવા હોઈ શકે છે, જે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે.


આ પણ વાંચોઃ


IND vs WI: મોહમ્મદ સિરાજે પોર્ટ ઓફ સ્પેનમાં રચ્યો ઈતિહાસ, 34 વર્ષ પછી કપિલ દેવની કરી બરાબરી