IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે 12 જુલાઈથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયા પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. પરંતુ WTC ટ્રોફી ગુમાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. ઓપનિંગ, વિકેટકીપિંગથી લઈને બોલિંગ સુધી નવા ચહેરા જોવા મળશે.


આગામી ડબલ્યુટીસી સાયકલની શરૂઆત સાથે, ભવિષ્યની ટીમ ઈન્ડિયા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રોહિત શર્માને ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલના રૂપમાં નવો પાર્ટનર મળવા જઈ રહ્યો છે. જયસ્વાલે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણો પ્રભાવ પાડ્યો છે. જયસ્વાલને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં જ ડેબ્યૂ કરવાની તક મળશે.


ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હોવાથી આ પગલું પણ લેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ત્રીજા નંબરના મહત્વને ધ્યાનમાં રાખીને શુભમન ગિલને ત્યાં શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં માત્ર શુભમન ગિલ જ ભારતીય મિડલ ઓર્ડરનું નેતૃત્વ કરતો જોવા મળશે.


વિકેટ પાછળ એક નવો ચહેરો હશે


વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિકેટ પાછળ પણ નવો ચહેરો જોવા મળશે. ભરતને અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ રમવાની તક મળી છે. પણ તે કોઈ સારું પ્રદર્શન બતાવી શક્યો નહિ. હવે ટીમ મેનેજમેન્ટે તેની સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. ઈશાન કિશનનું ડેબ્યુ પણ કન્ફર્મ હોવાનું માનવામાં આવે છે. કિશનની રમવાની શૈલી પંત જેવી જ હોવાથી ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે પંતની ભરપાઈ કરી શકશે.


મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગ આક્રમણ સંભાળતો જોવા મળશે. શાર્દુલ ઠાકુરને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાનું નિશ્ચિત છે. જયદેવ ઉનડકટની રાહ પૂરી થઈ શકે છે. ઉનડકટને વેસ્ટ ઈન્ડિઝ સામેની બંને ટેસ્ટમાં તક આપવામાં આવશે.


વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.


પ્રથમ ટેસ્ટ મેચ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ


ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્માઈન બ્લેકવુડ (વાઈસ-કેપ્ટન), એલીક અથાનાજ, ટેગેનરીન ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમાર રોચ, જોમેલ વોરકેન.


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ ટી20 ત્રિનિદાદમાં, બીજી ટી20 6 ઓગસ્ટે ગયાનામાં, ત્રીજી ટી20 8 ઓગસ્ટે ગયાનામાં, ચોથી ટી20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં અને પાંચમી ટી20 13 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે. એટલે કે યુએસએમાં પણ બે T20 રમાશે. આગામી T20 વર્લ્ડ કપ એટલે કે 2024 T20 વર્લ્ડ કપ માત્ર વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં જ રમાશે.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial