India Possible Playing XI 3rd T20 against Bangladesh: ભારત-બાંગ્લાદેશ T20 શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને અત્યાર સુધી ભારતીય ટીમે બંને મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. ભારત સીરીઝ પહેલા જ જીતી ચૂક્યું હોવાથી ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે તેવી શકયતા છે.


સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મયંક યાદવ અને નીતિશ કુમારને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તક આપી હતી. એક તરફ નીતિશ બીજી મેચમાં 74 રનની ઇનિંગ રમીને ભારતનો નવો સ્ટાર બની ગયો છે, તો બીજી તરફ મયંકે પણ બંને મેચમાં સારી લાઇન-લેન્થ પર બોલિંગ કરીને વિકેટો લીધી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ત્રીજી અને છેલ્લી મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કયા બે ખેલાડીઓને તક મળી શકે છે.


બે મોટા ફેરફારો થઈ શકે છે
-મયંક યાદવ અને નીતીશ રેડ્ડી આ સિરીઝમાં નામ કમાઈ ચૂક્યા છે અને હવે ડેબ્યૂ કરનારા ખેલાડીઓની યાદીમાં હર્ષિત રાણાનું નામ પણ જોડાઈ શકે છે. છેલ્લી સિઝન હર્ષિત માટે ઘણી સારી રહી હતી, જ્યાં તેણે KKR તરફથી રમતા 13 મેચમાં 19 વિકેટ લીધી હતી. આ પહેલા તેને ઝિમ્બાબ્વે સામેની ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો હર્ષિતને તક મળે છે તો મુખ્ય બોલરોમાંથી એકને ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવી શકે છે. 


-તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 16 ટી20 મેચ રમી છે, જેમાં તેના નામે 336 રન છે. તે 33.6ની સારી એવરેજથી બેટિંગ કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 2 અડધી સદી પણ ફટકારી છે. જોકે, વનડે મેચોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ તેણે ટી20 મેચમાં પોતાના બેટથી ઘણા રન બનાવ્યા છે. જો તેને તક આપવામાં આવે તો મિડલ ઓર્ડરમાંના એક ખેલાડીને આઉટ કરવો પડી શકે છે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ, હર્ષિત રાણા.


આ પણ વાંચો : New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ