MI Ex-Captain Rohit Sharma IPL Career: જેમ જેમ આઈપીએલ મેગા ઓક્શન 2025 (IPL Mega Auction 2025) નો સમય નજીક આવી રહ્યો છે, રોહિત શર્માનું ભવિષ્ય ચર્ચાનો એક મોટો વિષય બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ હશે કે શું તેઓ પોતાના પૂર્વ કેપ્ટન રોહિતને ટીમમાં જાળવી રાખશે કે પછી તેને હરાજી માટે છોડી દેશે. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપી હતી, જે ગુજરાત ટાઈટન્સ તરફથી ટીમમાં પરત ફર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહે હવે રોહિતના આઈપીએલ કરિયર વિશે કંઈક મોટી વાત કહી છે.


રોહિત શર્મા પર લાગી શકે છે મોટી બોલી-હરભજન સિંહ 
રોહિત શર્માના જૂના સાથી અને ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહનું માનવું છે કે જો રોહિતને રિટેન નહીં કરવામાં આવે તો IPL ઓક્શનમાં તેના માટે મોટી બોલી લગાવવામાં આવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા હરભજને કહ્યું, મુંબઈ ઈન્ડિયન્સ રોહિતને જાળવી રાખે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. જો તે હરાજીમાં જશે તો ઘણી ટીમો તેને ખરીદવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.


રોહિત એક મહાન કેપ્ટન અને મહાન ખેલાડી છે


હરભજને વધુમાં કહ્યું કે, રોહિત એક મહાન કેપ્ટન અને મહાન ખેલાડી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ટાઈટલ અપાવ્યું છે. તે 38 વર્ષનો હોવા છતાં તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. જો તે હરાજીમાં આવે છે તો તેના પર મોટી બોલી લાગી શકે છે.


IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સીઝન હતી
રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા છે. પરંતુ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવી દીધો હતો. જે બાદ આ ફેરફાર ટીમ માટે ફાયદાકારક સાબિત થયો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ લીગ તબક્કામાં છેલ્લા સ્થાને રહી હતી. રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવવાના નિર્ણયથી ચાહકો પણ ખૂબ નારાજ હતા અને વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકને હુટિંગનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો...


IND vs AUS Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે રોહિત શર્મા, જાણો શું છે કારણ?