India squad vs Afghanistan: ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 1 ઇનિંગ અને 300 રનથી ઐતિહાસિક જીત મેળવી લીધી છે. ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે (ODI) સિરીઝ રમાવા જઈ રહી છે. પરંતુ આ વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં સંપૂર્ણપણે ફેરબદલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમનો હિસ્સો રહેલા 7 યુવા અને દિગ્ગજ ખેલાડીઓને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, અને તેમની જગ્યાએ વનડે સ્પેશિયાલિસ્ટ 7 નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

કેમ કરવામાં આવ્યો 7 ખેલાડીઓનો ફેરફાર?

હકીકતમાં, BCCI દ્વારા આ ટૂર માટે અગાઉથી જ એવી રીતે ટીમની પસંદગી કરવામાં આવી હતી કે 8 ખેલાડીઓ ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં રમશે, જ્યારે બાકીના 7-7 ખેલાડીઓ માત્ર કોઈ એક જ ફોર્મેટ પૂરતા મર્યાદિત રહેશે. આ જ રણસર, ટેસ્ટ મેચ પૂરી થતાં જ 7 ખેલાડીઓ આપોઆપ ટીમમાંથી બહાર થઈ ગયા છે અને નવા 7 ખેલાડીઓ વનડે સિરીઝ માટે ટીમ સાથે જોડાઈ જશે.

Continues below advertisement
Continues below advertisement

વનડે સિરીઝમાંથી બહાર થયેલા 7 ખેલાડીઓ (ફક્ત ટેસ્ટ માટે હતા):

યશસ્વી જયસ્વાલ

સાંઈ સુદર્શન

ઋષભ પંત

દેવદત્ત પડિક્કલ

મોહમ્મદ સિરાજ

માનવ સુથાર

ધ્રુવ જુરેલ

વનડે સિરીઝ માટે એન્ટ્રી કરનાર 7 નવા ખેલાડીઓ:

રોહિત શર્મા

વિરાટ કોહલી

શ્રેયસ અય્યર

ઈશાન કિશન

હાર્દિક પંડ્યા

અર્શદીપ સિંહ

રાજકુમાર યાદવ

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

વિરાટ કોહલીની ફિટનેસ પર લટકતી તલવાર

ટીમની જાહેરાત વખતે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. આ ઉપરાંત, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને લઈને પણ ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોહલી હાલ હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે, જેના કારણે તે કદાચ આખી વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. જોકે, BCCI દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારત-અફઘાનિસ્તાન વનડે સિરીઝનું સંપૂર્ણ ટાઈમટેબલ:પ્રથમ વનડે: 13 જૂન (શનિવાર), ધર્મશાલા

બીજી વનડે: 17 જૂન (બુધવાર), લખનૌ

ત્રીજી વનડે: 20 જૂન (શનિવાર), ચેન્નાઈ

(નોંધ: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વનડે સિરીઝમાં પણ અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે.)

આ પણ વાંચોઃ શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન