IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ વરસાદના કારણે પ્રભાવિત થયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો થઈ હતી. મેચ બાદ ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું એક ટ્વીટ વાયરલ થયું છે. બુમરાહે તેના ટ્વીટમાં લખ્યું કે, મારી હજુ પણ તમને જરૂર નથી. લોકો સોશિયલ મીડિયા પર આ ટ્વીટના અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે. આ ટ્વીટની સાથે બુમરાહે ટ્રેંટબ્રિજ ટેસ્ટની પોતાના બોલિંગ સ્પેલની બે તસવીરો પણ શેર કરી છે.


સોશિયલ મીડિયા પર આ ટ્વીટના અલગ અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કેટલા લોકોના કહેવા મુજબ બુમરાહે શાનદાર બોલિંગ કરી છતાં ટેસ્ટ ડ્રો ગઈ હતી. જેથી તેણે મેચ જીતી ન શકવાના કારણે નિરાશ થઈને આ ટ્વીટ કર્યુ છે. જ્યારે કેટલા લોકો બુમરાહના આ ટ્વીટને આલોચકોને જવાબ માની રહ્યા છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે રમયાલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બુમરાહ એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. જે બાદ ઘણા લોકોએ  તેને ટીમમાંથી બહાર કરવાની વાત કહી હતી. કદાચ આ ટ્વીટ તેણે ટ્રેંટબ્રિજ ટેસ્ટમાં કરેલી ઘાતક બોલિંગનો જવાબ હોઈ શકે છે.






ઇંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 183 રનમાં સમેટાઈ હતી, ત્યારબાદ ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા અને 95 રનની લીડ મેળવી હતી. આ પછી, ઇંગ્લેન્ડે બીજા દાવમાં 303 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન જો રૂટની સદી ખાસ હતી. ભારતને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો.ભારતે પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા, જેમાં ઓપનર કેએલ રાહુલ (kl Rahul) (84) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (56) (R Jadeja) એ મહત્વનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ઓલી રોબિન્સને 5 વિકેટ લીધી હતી જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ લીધી હતી.


કહ્યું કે, આ ટીમ આગળ જતાં અમારા માટે આદર્શ ટીમ (Balanced Team) હશે. જેનો મતલબ છે કે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં (India vs England Test Series) હવે પછીના ચાર ટેસ્ટમાં પણ કોહલી ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનરના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે.


બાકીની ચાર મેચમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને રવિચંદ્રન અશ્વિન બેમાંથી કોઈ એકને જ મોકો મળી શકે છે. પ્રથમ ટેસ્ટમાં અશ્વિનના સ્થાને જાડેજાને સમાવાયો હતો. પાંચમા અને અંતિમ દિવસે વરસાદના (Rain) કારણે એક પણ બોલ નહોતો ફેંકી શકાયો, જેના કારણે ભારત પાસેથી જીતનો મોકો છીનવાઈ ગયો હતો. જેના કારણે બંને ટીમોએ ચાર-ચાર પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.