IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન (Team India Captain) વિરાટ કોહલીએ (Virat Kohli) ઈંગ્લેન્ડ સામે વરસાદના કારણે પ્રભાવિત થયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો ગયા બાદ કહ્યું કે, આ ટીમ આગળ જતાં અમારા માટે આદર્શ ટીમ (Balanced Team) હશે. જેનો મતલબ છે કે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં (India vs England Test Series) હવે પછીના ચાર ટેસ્ટમાં પણ કોહલી ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનરના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે.


બાકીની ચાર મેચમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને રવિચંદ્રન અશ્વિન બેમાંથી કોઈ એકને જ મોકો મળી શકે છે. પ્રથમ ટેસ્ટમાં અશ્વિનના સ્થાને જાડેજાને સમાવાયો હતો. પાંચમા અને અંતિમ દિવસે વરસાદના (Rain) કારણે એક પણ બોલ નહોતો ફેંકી શકાયો, જેના કારણે ભારત પાસેથી જીતનો મોકો છીનવાઈ ગયો હતો. જેના કારણે બંને ટીમોએ ચાર-ચાર પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.


કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે ત્રીજા અને ચોથા દિવસે વરસાદની આશા રાખતા હતા પરંતુ તે પાંચમા દિવસે આવ્યો. રમવું અને મેચ જીતવી શાનદાર હોય છે પરંતુ આ શરમજનક છે. પાંચમા દિવસે અમને ખબર હતી કે અમારી પાસે મોકો છે પરંતુ વરસાદે વિજયથી વંચિત રાખ્યા હતા.


ઇંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 183 રનમાં સમેટાઈ હતી, ત્યારબાદ ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા અને 95 રનની લીડ મેળવી હતી. આ પછી, ઇંગ્લેન્ડે બીજા દાવમાં 303 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન જો રૂટની સદી ખાસ હતી. ભારતને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો.ભારતે પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા, જેમાં ઓપનર કેએલ રાહુલ (kl Rahul) (84) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (56) (R Jadeja) એ મહત્વનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ઓલી રોબિન્સને 5 વિકેટ લીધી હતી જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ લીધી હતી.