IND vs NZ 2nd ODI Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડેસીરિઝની બીજી વન-ડે મેચ 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. શુભમનગિલનાકેપ્ટનશીપહેઠળની ભારતીય ટીમે પહેલી વન-ડે 4 વિકેટથીજીતીનેશ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે તેઓ રાજકોટમાં બીજી વન-ડેજીતીનેશ્રેણીમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. જોકે, ભારતની પ્લેઇંગ 11 પહેલી મેચ કરતા અલગ હશે.

આનું કારણ એ છે કે સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. BCCI એ તેના સ્થાને આયુષ બદોનીનું નામ આપ્યું છે. પરિણામે બીજી વન-ડે માટે ભારતના પ્લેઇંગ-11માં સુંદરની જગ્યાએ કોણ આવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.

શું આયુષ બદોની પોતાનું ડેબ્યૂ કરશે?

વોશિંગ્ટન સુંદર ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાંબોલિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. પાંચ ઓવર ફેંક્યા પછી તે મેદાન છોડીને ચાલ્યો ગયો, જેના કારણે અટકળો શરૂ થઈ ગઈ કે તે બેટિંગમાં પાછો નહીં ફરે. જોકે, 93 રન પર વિરાટ કોહલીના આઉટ થયા પછી જ્યારે વિકેટો પડવા લાગી ત્યારે વોશિંગ્ટન સુંદર 8મા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે સાત બોલમાં સાત રન બનાવ્યા. જોકે, રન લેતી વખતે તે અસ્વસ્થ દેખાતો હતો. મેચ પછી તેનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, જેમાં ખુલાસો થયો કે તેનું સ્કેન થયું હતું અને પાંસળીમાં દુખાવો થઈ રહ્યો હતો, જેના કારણે તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો.

બીસીસીઆઈએસુંદરના સ્થાને 26 વર્ષીય આયુષ બદોનીનેટીમમાં સામેલ કર્યો હતો. હવે, બીજી વનડેમાં એવી શક્યતા છે કે દિલ્હીના આ ક્રિકેટરને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. IPLમાંલખનઉસુપરજાયન્ટ્સ તરફથી રમનાર આયુષનેરાજકોટમાં બીજી વનડે માટે ભારતની પ્લેઇંગઇલેવનમાં સામેલ કરી શકાય છે. જો આયુષનેપ્લેઇંગઇલેવનમાં પસંદ કરવામાં ન આવે તો ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીસુંદરનું સ્થાન લેશે.

શું અર્શદીપસિંહને ફરીથી ડ્રોપ કરવામાં આવશે?

વડોદરા ખાતેની પ્રથમ વનડેમાંઅર્શદીપસિંહનેડ્રોપ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની ટીકા થઈ હતી, કારણ કે દક્ષિણ આફ્રિકા સામેની વનડેશ્રેણીમાંઅર્શદીપસિંહનું પ્રદર્શન સારુ રહ્યું હતું. જસપ્રીતબુમરાહની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે મોહમ્મદ સિરાજનેપેસ આક્રમણનું નેતૃત્વ સોંપ્યું હતું. સિરાજે પ્રથમ વનડેમાં બે વિકેટ લીધી. હર્ષિત અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ વનડેમાંથીઅર્શદીપસિંહનેડ્રોપ કરવાના નિર્ણય અંગે કેપ્ટન શુભમનગિલે જણાવ્યું હતું કે તેની બેન્ચિંગ પાછળનું કારણ સંપૂર્ણપણે રોટેશન હતું. ગિલે જણાવ્યું હતું કે તે ઇનિંગ્સરોટેટ કરવાનું ચાલુ રાખવા માંગે છે, કારણ કે ઘણી વનડે મેચ નથી.

બીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ11

શુભમનગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), આયુષ દોની/નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ