IND vs NZ, 3rd ODI:  ભારતીય ટીમ આજે (30 નવેમ્બર) ન્યુઝીલેન્ડ સામે તેની ત્રીજી અને છેલ્લી વનડે રમી રહી છે. સંજુ સેમસનને ફરી એકવાર આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ પહેલા તેને બીજી મેચમાં પણ ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. સંજુને ટીમમાં ન જોઈને ફેન્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. આ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.


આ પહેલા સંજુને બીજી વનડેમાં પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતીય કેપ્ટન શિખર ધવને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. સંજુને શ્રેણીની પ્રથમ વનડેમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે મેચમાં સંજુએ 36 રનની ઇનિંગ રમી હતી. જો કે તે મેચમાં ભારતીય ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે ફરી એકવાર સંજુના ચાહકોનો ગુસ્સો સોશિયલ મીડિયા પર તેને ટીમમાં ન જોવાને કારણે ફાટી નીકળ્યો છે.