India vs Sri Lanka Playing 11:  શ્રીલંકા ટેસ્ટ સીરીઝ પહેલાં ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. સાઇ સુદર્શન ઈજાના કારણે બહાર થઈ ગયો છે, તેમની જગ્યાએ સરફરાઝ ખાનને તક મળી છે. તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા XI સાથે વૉર્મઅપ ટેસ્ટ મેચ રમી, જેમાં કેટલાક ખેલાડીઓએ બેટ અને બોલથી દમ દેખાડ્યો.

Continues below advertisement

વૉર્મઅપ ટેસ્ટના પ્રદર્શનના આધારે કેટલાક યુવાનોએ પ્લેઇંગ ઇલેવનની દાવેદારીને મજબૂત કરી છે. આમ તો સાઇ સુદર્શન ટેસ્ટમાં નંબર-3 પર બેટિંગ કરે છે, પરંતુ સરફરાઝને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે જોવામાં આવે છે. શું સરફરાઝને ટેસ્ટમાં પહેલીવાર નંબર-3 પર તક મળશે, શું મિડલ ઓર્ડરમાં તેમને તક મળશે? જો હા, તો ટીમમાંથી કોનું પત્તું કપાશે. અહીં તમને આ સવાલનો જવાબ મળશે.

Continues below advertisement

આ પણ વાંચો...IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

નંબર-3 નહીં મળે

બેટિંગની દ્રષ્ટિએ જોઈએ તો ટોપ-3 માં ત્રણ સ્થાન નક્કી છે. ઓપનિંગ કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ કરતા આવ્યા છે, મેનેજમેન્ટ કદાચ આ કોમ્બિનેશનમાં ફેરફાર નહીં કરે, જ્યારે કેપ્ટન શુભમન ગિલનો નંબર-4 પણ નક્કી છે. હવે સુદર્શનની જગ્યા ખાલી થઈ છે, પરંતુ અહીં પણ સરફરાઝ સામે મુશ્કેલી હશે, કારણ કે વૉર્મઅપ ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલે નંબર-3 પર આવીને અણનમ સદી ફટકારી દીધી અને 142 રન બનાવ્યા.

 

નહીં રમે ત્રણેય વિકેટકીપર

શ્રીલંકા સીરીઝ માટે ભારતીય સ્ક્વોડમાં 3 વિકેટકીપર છે. કેએલ રાહુલ, ઋષભ પંત અને ધ્રુવ જુરેલ. સરફરાઝ રમે છે, તો સ્વાભાવિક છે કે આ ત્રણેય વિકેટકીપર બેટ્સમેન નહીં રમે. ટીમ ઈન્ડિયાને ઓછામાં ઓછા 5-6 બોલિંગ વિકલ્પ પણ જોઈએ છે, તેથી ત્રણેય વિકેટકીપરનું રમવું લગભગ અશક્ય છે.

બોલિંગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના 2 પેસર હોઈ શકે છે, કુલદીપ યાદવ મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવશે જ્યારે રવિન્દ્ર જાડેજા સ્પિન-ઓલરાઉન્ડરની જવાબદારી સંભાળશે. કારણ કે શ્રીલંકાની પિચો પર સ્પિનરોને મદદ મળે છે, તેથી ટીમ ઈન્ડિયા પણ ઓછામાં ઓછા ત્રણ સ્પિનરો સાથે ઉતરવા માંગશે. તેથી ત્રીજા સ્પિનરનો સ્લોટ માનવ સુથાર પાસે જઈ શકે છે, જેમણે વૉર્મઅપ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 2 વિકેટ ઝડપી હતી.

આ ખેલાડીની જગ્યાએ મળશે તક

અહીં માત્ર નંબર-6 નો સ્લોટ બચે છે, જ્યાં સરફરાઝ ખાનને ફિટ કરી શકાય છે. એવામાં ધ્રુવ જુરેલને બેન્ચ પર બેસવું પડી શકે છે અથવા તો ટીમ ઈન્ડિયા વધારાના બોલિંગ વિકલ્પ સાથે ઉતરવા માંગે તો સરફરાઝનું બહાર બેસવું નિશ્ચિત હશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: કેએલ રાહુલ, યશસ્વી જેસ્વાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.