India vs West Indies 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ બાર્બાડોસમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 પહેલા ખેલાડીઓને અજમાવી રહી છે. આવી સ્થિતિમાં તે કદાચ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે. ટીમ ઈન્ડિયા બીજી વનડેમાં પણ ખેલાડીઓને તક આપી શકે છે. આ સાથે જ પ્રથમ મેચમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી મેચમાં કમબેક કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.



ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન બેટિંગ ક્રમમાં ઘણા ફેરફાર કર્યા હતા. પરંતુ આ મેચમાં કદાચ માત્ર રોહિત શર્મા જ શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે. છેલ્લી મેચમાં ઈશાન કિશન ઓપનિંગ માટે પહોંચ્યો હતો. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. કોહલીને છેલ્લી મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. જેમાં રોહિત 7મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ગિલ છેલ્લી મેચમાં માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ હાર્દિક પંડ્યા 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવે 19 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમને ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.


ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં ઉમરાન મલિકને તક આપી હતી. ફાસ્ટ બોલર ઉમરાન પણ બીજી વનડેનો ભાગ બની શકે છે. મુકેશ કુમાર અને હાર્દિક પંડ્યાએ સારી બોલિંગ કરી હતી. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. આ બોલરો બીજી વનડેમાં પણ રમી શકે છે.


વનડેમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી ઓછો સ્કોર


ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 23 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ODI ક્રિકેટમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2018માં તિરુવનંતપુરમમાં રમાયેલી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને ટીમ ઈન્ડિયાએ માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.


બીજી વનડે માટે સંભવિત ખેલાડીઓ -



ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ: બ્રૈંડન કિંગ, એલિક અથનાઝ, શાઈ હોપ ( કેપ્ટન અને વિકેટકિપર ), કીસી કાર્ટી, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રોમારિયો શેફર્ડ, ડોમિનિક ડ્રેક્સ, યાનિક કારિયા, ગુડાકેશ મોતી, જેડન સીલ્સ.