મુંબઈઃ ભારતે 2011માં વર્લ્ડકપ જીત્યો એ ઘટનાને દસ વર્ષ પૂરા થયાં છે. ભારતે 2011 વર્લ્કપની ફાઈનલ મેચ શ્રીલંકાને હરાવીને જીતી હતી. આ મેચમાં ભારતીય ટીમે શરૂઆતના આંચકાને પચાવીને ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોનીની શાનદાર બેટિંગના સહારે જીત નોંધાવીને બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. ભારતના ક્રિકેટ ઈતિહાસના સૌથી યાદગાર વિજયોમાં વર્લ્ડકપ ફાઈનલ વિજય એક છે પણ આ વિજય અંગે વિવાદ સર્જવાનો પ્રયાસ પણ શ્રીલંકાને વર્લ્ડકપ જીતાડનારા અર્જુન રણતુંગા દ્વારા કરાયા હતા.
શ્રીલંકાને 1996 વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપને સમર્થન આપ્યું હતું અને તપાસની માગ કરી હતી. સૌથી પહેલાં લંકાન ભૂતપૂર્વ રમત પ્રધાન મહિદાનંદા અલુધગામેગેએ આ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્લ્ડકપમાં રમનારા શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયાવર્ધનેએ મહિદાનંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. 2011 વર્લ્ડકપમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સાંગાકારાએ કહ્યું હતું કે, મહિદાનંદાએ ફિક્સિંગ અંગે તેમની પાસે જે પણ પૂરાવા હોય તે લઈને આઈસીસી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમની પાસે લઈને જવું જોઈએ. જેથી કેસની વિસ્તૃત તપાસ થઈ શકે.’
IPL 2021: અશક્ય છે આઈપીએલના આ રેકોર્ડ્સ તોડવા ! આંકડા જાણીને ચોંકી જશો