Ishan Kishan Return In Indian Cricket: ઇશાન કિશન (Ishan Kishan) છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2023માં રમી હતી. આ દિવસોમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે વનડે સીરીઝ રમી રહી છે અને તે પહેલા બંને વચ્ચે ટી20 સીરીઝ રમાઈ છે. બંને સિરીઝમાં ઈશાનને ટીમ ઈન્ડિયા(INDIAN CRICKET TEAM)નો હિસ્સો બનાવવામાં આવ્યો ન હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂકેલ ઈશાન કિશન હવે કમબેક કરવા માટે તૈયાર દેખાઈ રહ્યો છે.


ઈશાને 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો


માનસિક થાકને કારણે ઈશાને 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો. આફ્રિકા પ્રવાસથી પરત ફર્યા બાદ ભારતીય વિકેટકીપર બેટ્સમેનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેમ ન કર્યું, જેના કારણે કિશને તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ્યો. જો કે હવે ઈશાન કિશન પુનરાગમન કરવાના મૂડમાં જોવા મળી રહ્યો છે.


કેપ્ટન બની શકે છે


ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇશાનને 25 પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકબઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇશાન કિશન આગામી સ્થાનિક સિઝનમાં ઝારખંડ (jharkhand) માટે રમવા માટે સંમત થયો છે. મામલો માત્ર રમવા પૂરતો સીમિત ન હોઈ શકે, પરંતુ વિકેટ કીપર બેટ્સમેનને ઝારખંડની કેપ્ટનશીપ પણ આપી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈશાને તેની ઉપલબ્ધતા વિશે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે.


રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પસંદગીકારોએ ઈશાન સાથે વાત કરી હતી. વિકેટકીપર બેટ્સમેનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી છે, જેના પર તે સહમત થઈ ગયો છે. તમને જમાવી દઈએ કે, ઈશાન કિશનના વળણથી સૌ કોઈ ચોંકી ગયા હતા અને ઘણા લોકોએ તેમની ટીકા પણ કરી હતી.


ઈશાન કિશનની ઈન્ટરનેશનલ કરિયર અત્યાર સુધી આવી રહી છે


ઉલ્લેખનીય છે કે ઈશાન કિશન એવો બેટ્સમેન છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધી તે 2 ટેસ્ટ, 27 ODI અને 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 78 રન બનાવ્યા છે. આ સિવાય ઈશાને ODIમાં 933 રન અને T20 ઈન્ટરનેશનલમાં 796 રન બનાવ્યા છે.