IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14ની શુક્રવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેન્નઈ સુપર કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આરએસીબીના કેપ્ટન વિરાટ કોહલી યુએઈમાં સતત બીજી હારથી અત્યંત નિરાશ દેખાયો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે આપણે નિર્ણાયક ક્ષણોમાં વધુ સારું કરવાની જરૂર છે.


વિરાટ કોહલી માને છે કે ટીમે 175 રન બનાવવાના હતા. કેપ્ટને કહ્યું કે, “વિકેટ ધીમી પડી ગઈ હતી, અમે ઇનિંગ્સમાં 15થી 20 રન ઓછા હતા. અહીં 175નો સ્કોર જીતવા માટે પૂરતો હોત. પણ એવું ન થયું.”


વિરાટ કોહલીએ પણ બોલરો પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું, અમારી બોલિંગ સારી નહોતી. અમે બોલિંગમાં એવું પ્રદર્શન કર્યું નથી જે મેચ જીતવા માટે જરૂરી છે. સીએસકેએ સારી બોલિંગ કરી અને તેથી જ તેઓ મેચમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યા. CSK એ ધીમા અને યોર્કર બોલનો સારો ઉપયોગ કર્યો હતો.


RCB ની ચોથી હાર


વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, “અમે કયા બોલને ફટકારવાની જરૂર નથી તે વિશે વાત કરી હતી. પ્રથમ 5-6 ઓવરમાં પણ થોડો અભાવ હતો. આપણે વિજયના માર્ગ પર પાછા ફરવાનું છે. આ અત્યંત નિરાશાજનક છે. છેલ્લી મેચમાં અમે લડી પણ ન શક્યા. ટૂર્નામેન્ટ ઝડપથી આગળ વધી રહી છે અને આપણે નિર્ણાયક ક્ષણોનો લાભ ઉઠાવવો પડશે.”


પ્રથમ બેટિંગ કરતા RCB એ CSK સામે 156 રન બનાવ્યા હતા. ધોનીની ટીમે 18.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. RCB એ IPL 14 માં 9 મેચ રમી છે જેમાંથી ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.


આ પણ વાંચોઃ CSK vs RCB, Match: ચેન્નઈ સુપર કિંગ્સની બેંગ્લુરુ સામે 6 વિકેટથી શાનદાર જીત


આ તોફાની બેટ્સમેનો ફટકાર્યો એવો બૂલેટ શૉટ કે રોહિત શર્માને બૉલ વાગતા વાગતા રહી ગયો, જુઓ વીડિયો