Jasprit Bumrah Comeback: ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. પીઠની ઈજાને કારણે તે 2022નો T20 વર્લ્ડ કપ રમી શક્યો નહોતો. ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે ટેસ્ટ માટે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. હવે તેની ઈજાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.






બુમરાહ IPL 2023માં રમશે


ક્રિકેટ વેબસાઇટ ઇનસાઇડ સ્પોર્ટ્સે તેના એક અહેવાલમાં બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યવશ, તેણે (જસપ્રિત બુમરાહ) સિરીઝ ગુમાવવી પડશે. તે સ્વસ્થ થવાનો છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. જેમ કે અમે પહેલા કહ્યું છે. જેમ કે આપણે જોયું છે કે તેનું બળજબરીથી વાપસી કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી  તે વધુ સારું છે કે તે પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય અને તેની આઈપીએલ ટીમમાં જોડાય, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ હંમેશા તેના પર નજર રાખશે."


જસપ્રીત બુમરાહને  આ સમસ્યા જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે દરમિયાન થઈ હતી. 



  • જુલાઈ 2022: બુમરાહને ઈંગ્લેન્ડ સામેની બીજી ODIમાં પીઠમાં તકલીફ થઈ, જેના કારણે તે ત્રીજી ODIમાંથી બહાર થઈ ગયો.
    ત્યારબાદ તપાસ બાદ જાણવા મળ્યું કે 2019માં તેને જે ઈજાથી ઝઝુમી રહ્યો હતો, તે ફરી થવા લાગી છે. 

  • ઑગસ્ટ 2022: બુમરાહ વેસ્ટ ઈન્ડિઝમાં ODI શ્રેણી રમવાનો હતો, પરંતુ તે પછી તે જ ઈજાને કારણે NCAમાં પાછા જવું પડ્યું.

  • ઑગસ્ટ 2022: બુમરાહ સમયસર ઈજામાંથી બહાર ન આવવાને કારણે સમગ્ર એશિયા કપમાંથી બહાર થઈ ગયો.

  • સપ્ટેમ્બર 2022: લગભગ અઢી મહિનાના રિકવરી સમય પછી, બુમરાહે T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તેણે 2 T20 મેચમાં માત્ર 6 ઓવર જ ફેંકી અને ફરીથી તેની ઈજાએ તેને પરેશાન કરી દીધો.

  • ઓક્ટોબર 2022: બુમરાહ સમગ્ર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો.

  • નવેમ્બર 2022: ભારતનો આ પ્રીમિયર ફાસ્ટ બોલર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પણ ચૂકી ગયો.

  • ડિસેમ્બર 2022: બુમરાહ બાંગ્લાદેશ પ્રવાસ પણ ચૂકી ગયો.

  • જાન્યુઆરી 2023: બુમરાહનું નામ શરૂઆતમાં શ્રીલંકા વનડે શ્રેણી માટે આવ્યું હતું, પરંતુ તેને ફરીથી પીઠની સમસ્યા થઈ અને તેને ફરીથી NCAમાં જવું પડ્યું.

  • ફેબ્રુઆરી 2023: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે, એવી અપેક્ષા હતી કે બુમરાહ આ શ્રેણીમાં ઉપલબ્ધ થશે, પરંતુ તેમ થયું નહીં. બુમરાહ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો અને પછી આખી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.