Team India Coach:  T20 વર્લ્ડ કપ 2024 બાદ ટીમ ઈન્ડિયા(Team India)ના કોચિંગ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે. એક તરફ મુખ્ય કોચ પદ માટે ગૌતમ ગંભીરને રાહુલ દ્રવિડ (Rahul Dravid) નો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે. આ વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી જોન્ટી રોડ્સ ટીમના નવા ફિલ્ડિંગ કોચ તરીકે જવાબદારી સંભાળી શકે છે.


તમને જણાવી દઈએ કે જોન્ટી રોડ્સે પણ વર્ષ 2019માં ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી હતી. પરંતુ તે સમયે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આર શ્રીધરને ફિલ્ડિંગ કોચ તરીકે રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ 2021માં મુખ્ય કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડે ટી દિલીપને ફિલ્ડિંગ કોચ બનાવવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. બીસીસીઆઈ ફિલ્ડિંગ કોચના પદ માટે નામો આગળ કરી શકે છે, પરંતુ આખરે તે મુખ્ય કોચ પર નિર્ભર કરે છે કે તે કોને તેના કોચિંગ સ્ટાફમાં રાખવા માંગે છે અને કોને નહીં.


કોચિંગ સ્ટાફમાં ફેરફાર શક્ય છે
હાલમાં જ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવાના સમાચાર ચરમસીમાએ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરનું મુખ્ય કોચ બનવું નિશ્ચિત છે, પરંતુ એવી અટકળો પણ છે કે ગંભીરના આવવાથી ટીમ ઈન્ડિયાના સમગ્ર કોચિંગ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે. બોલિંગથી લઈને બેટિંગ અને ફિલ્ડિંગ કોચને પણ બદલી શકાય છે.


જોન્ટી રોડ્સની કોચિંગ કારકિર્દી
જોન્ટી રોડ્સ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનૌ સુપર જાયન્ટ્સના ફિલ્ડિંગ કોચ તરીકે કામ કરી રહ્યો છે. આ સિવાય તે SA20માં ડરબન સુપર જાયન્ટ્સનો ફિલ્ડિંગ કોચ પણ છે. આ સિવાય રોડ્સે પંજાબ કિંગ્સ, સ્વીડન ક્રિકેટ એસોસિએશન અને શ્રીલંકન ક્રિકેટ ટીમ સાથે પણ કામ કર્યું છે.



ગંભીરની હાજરીમાં KKR બની ચેમ્પિયન 


KKR પહેલા, ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. તેમની હાજરીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે જતાની સાથે જ ટીમના પ્રદર્શનમાં ઘટાડો થયો. લખનૌની ટીમ IPL 2024ના પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. બીજી તરફ KKR એ ખિતાબ જીત્યો. KKR IPL 2024 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની.


આંતરરાષ્ટ્રીય કારકિર્દી મજબૂત રહી છે -


ગૌતમ ગંભીરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 147 ODI મેચ રમી છે. આ દરમિયાન 5238 રન બનાવ્યા છે. ગંભીરે વનડેમાં 11 સદી અને 34 અડધી સદી ફટકારી છે. તેણે 58 ટેસ્ટ મેચમાં 4154 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 22 અડધી સદી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. ગંભીરે ભારત માટે 37 T20 મેચ પણ રમી છે. જેમાં 932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 અડધી સદી ફટકારી છે. ગંભીરે ટી20 વર્લ્ડકપ 2007માં પાકિસ્તાન સામે અને વન ડે વર્લ્ડકપ 2011માં શ્રીલંકા સામે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.