Pakistan Cricket Fans On Virat Kohli: ઇંગ્લેન્ડ વિરુદ્ધ મુલ્તાન ટેસ્ટમાં પાકિસ્તાનને 26 રનોથી હારનો સામનો કરવો પડ્યો, આ સીરીઝમાં પાકિસ્તાનની સતત આ બીજી હાર છે. આ પહેલા રાવલપિંડી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે યજમાનને 74 રનથી હાર આપી હતી, આ હાર એવા સમયે આવી છે, જ્યારે એશિયા કપ 2023 પર પાકિસ્તાનના વલણને લઇને ભ્રમ છે. ઓક્ટોબરમાં બીસીસીઆઇ સચિવ જય શાહે સંકેત આપ્યા હતા કે પાકિસ્તાનમાં રમાનારી એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવી શકે છે. તેમના આ નિવેદન પર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ કહ્યું હતુ કે, આ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 માટે પાકિસ્તાન અને ભારત પ્રવાસને પ્રભાવિત કરી શકે છે, વળી, હવે પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સને વિરાટ કોહલીને એક પ્રેમાળ સંદેશો મોકલ્યો છે. 


પાકિસ્તાની ફેન્સે વિરાટને મોકલ્યો સંદેશ - 
મુલ્તાનમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સે વિરાટ કોહલીને એક  અનોખો પેગામ આપ્યો, મેદાન પર બે ક્રિકેટ ફેન્સ જેમાના હાથમાં તખ્તીયોં હતી, તેના પર લખ્યુ હતુ- હાય ! કિંગ કોહલી પાકિસ્તાન આઓ અને એશિયા કપમાં રમો. અમે તમને બાબર આઝમથી પણ વધારે પ્રેમ કરીશું. 






પાકિસ્તાની ફેન્સનો આ સંદેશો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પાકિસ્તાનીઓને ભારતીય ક્રિકેટરો પરનો પ્રેમ દર્શાવવી રહ્યો છે. 



Asia Cup 2023: પાકિસ્તાન બહાર એશિયા કપ થશે તો ભાગ નહી લે, PCB ચીફ રમીઝ રાજાએ ફરી આપી ધમકી! 
Ramiz Raja Pakistan Asia Cup 2023: એશિયા કપ 2023ને લઈને પાકિસ્તાને ફરી એકવાર પોતાનો ગુસ્સો દર્શાવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધમકી આપી છે કે જો એશિયા કપ પાકિસ્તાનની બહાર ખસેડવામાં આવશે તો તેમની ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે. આ પહેલા PCBએ ODI વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપી હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એશિયા કપ 2023 પાકિસ્તાનની બહાર શિફ્ટ થઈ શકે છે. આ જ કારણ છે કે PCB તરફથી વારંવાર આક્રોશભર્યા નિવેદનો સામે આવી રહ્યા છે.


ક્રિકઇન્ફો પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, રમીઝ રાજાએ પાકિસ્તાન-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ વચ્ચે કહ્યું, "જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો અમે પણ ત્યાં નહીં જઈએ." જો પાકિસ્તાન પાસેથી એશિયા કપની યજમાની છીનવાઈ જશે તો અમે તેને છોડવા પર વિચાર કરીશું. રમીઝે આ પહેલા ODI વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપી હતી. મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે. આ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનની બહાર કરવાનો વિચાર ચાલી રહ્યો છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.


નોંધપાત્ર વાત એ છે કે રાજકીય તણાવને કારણે 2012 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. તે જ સમયે, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ગયાને લગભગ 14 વર્ષ થઈ ગયા છે. છેલ્લી વખત ભારતીય ટીમ 2008માં પાકિસ્તાન ગઈ હતી. આ કારણે બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ પણ ચાલી રહ્યો છે. રમીઝ રાજાએ આ વિશે કહ્યું હતું કે, અમારી સ્થિતિ સ્પષ્ટ છે. જો તેઓ (ટીમ ઈન્ડિયા) પાકિસ્તાન આવશે તો જ અમે વર્લ્ડ કપ રમવા જઈશું. જો આમ નહીં થાય તો વર્લ્ડ કપ પાકિસ્તાન વિના રમવો પડશે.