Jitesh Sharma On Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ મેદાનની ચારે બાજુ શોટ રમવા માટે જાણીતો છે. આ કારણે સૂર્યકુમાર યાદવને 360 ડિગ્રી પ્લેયર કહેવામાં આવે છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમ તરફથી રમતી વખતે સૂર્યકુમાર યાદવે ઘણો પ્રભાવિત કર્યો હતો. ખાસ કરીને સૂર્યકુમાર યાદવે ટી20 ફોર્મેટમાં પોતાની બેટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. જો કે હવે પંજાબ કિંગ્સના ખેલાડી જીતેશ શર્માએ સૂર્યકુમાર યાદવની બેટિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.



સૂર્યકુમાર યાદવની બેટિંગ પર જીતેશ શર્માએ શું કહ્યું ?


IPL 2023માં જીતેશ શર્માએ શાનદાર બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. જીતેશ શર્મા IPL 2023 સીઝનમાં પંજાબ કિંગ્સનો ભાગ હતો. હવે જીતેશ શર્માએ સૂર્યકુમાર યાદવની બેટિંગ પર મોટું નિવેદન આપ્યું છે. ખરેખર પંજાબ કિંગ્સના આ ખેલાડીએ કહ્યું કે તે પોતાની રમતને 360 ડિગ્રી બનાવવા માટે સૂર્યકુમાર યાદવનો વીડિયો જોતો રહે છે. આ સાથે જિતેશ શર્માએ કહ્યું કે સૂર્યકુમાર યાદવની બેટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે.



મહેન્દ્ર સિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટ જિતેશ શર્માના આઈડલ છે.


તાજેતરમાં જ જીતેશ શર્માએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટને પોતાના આઈડલ  માને છે. આ સિવાય તે વિરાટ અને રોહિતને પણ ખૂબ નજીકથી ફોલો કરે છે. આ દરમિયાન જીતેશે કહ્યું કે તેને અંબાતી રાયડુની બેટિંગ જોવી ગમે છે, જેની સાથે તેણે વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં ઘણો સમય વિતાવ્યો. 






સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને તેણે પોતાના બેટના દમ પર ઘણી મહત્વપૂર્ણ મેચોમાં ટીમને જીત અપાવી છે. સૂર્યાએ તેના પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું અને હાલમાં તે વિશ્વ ક્રિકેટમાં T20 ફોર્મેટમાં સૌથી ખતરનાક બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે.