IND vs AUS 1st Test, Ravindra Jadeja: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝની પહેલી મેચ માટે પુરેપુરી રીતે ફિટ અને તૈયાર છે. લાંબા સમયથી પોતાની ઇજા સામે ઝઝૂમી રહેલો રવીન્દ્ર જાડેજા હવે ફરી એકવાર મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે. રવીન્દ્ર જાડેજા આગામી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં રમી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. આ મેચ માટે રવીન્દ્ર જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. 


ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ બુધવારે (1 ફેબ્રુઆરી) ભાગ લેવાની તેની તૈયારી પર એક ફિટનેસ રિપોર્ટ જાહેર કર્યો, તે અનુસાર નાગપુરમાં ટીમના બાકીને સભ્યોમાં સામેલ થવાનો માર્ગ ખુલ્યો, જ્યાં ટીમ ટેસ્ટ અને સીરીઝની માટે એક નાનો કેમ્પ લગાવશે. 


આ પહેલા રમી હતી રણજી ટ્રૉફી મેચ - 
રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ રણજી ટ્રૉફીમાં સૌરાષ્ટ્ર તરફથી એક મેચ રમી હતી, તામિલનાડુ વિરુદ્ધ રમાયેલી તે મેચમાં રવીન્દ્ર જાડેજાએ લગભગ 42 ઓવર ફેંકી હતી, જેમાં તેને 7 વિકેટો ઝડપી હતી, હવે તેને નેશનલ ક્રિકેટ એકેડમીનો ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. આવામાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પહેલી મેચમાં તેનુ રમવુ લગભગ નક્કી છે. 


રવીન્દ્ર જાડેજા એશિયા કપ 2022 થી દુર છે ક્રિકેટથી - 
રવીન્દ્ર જાડેજાએ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ 2022ના એશિયા કપમાં રમી હતી, ટૂર્નામેન્ટ દરમિયાન તેને ઘૂંટણમાં ઇજા પહોંચી હતી, અને ત્યારબાદ તે ક્રિકેટથી લગભગ પાંચ મહિના સુધી દુર થઇ ગયો હતો, આ પછી તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડકપ 2022માં પણ નહતો રમી શક્યો.


 


Ranji Trophy 2023: જાડેજાનું શાનદાર કમબેક, તામિલનાડુ સામેની મેચમાં ઝડપી 7 વિકેટો


હાલમાં ચાલી રહેલી રણજી ટ્રૉફીમાં રવિન્દ્ર જાડેજા એ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, અને તામિલનાડુ સામે રમાયેલી મેચની બીજી ઈનીંગમાં 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. જાડેજાના કમાલના પ્રદર્શન સામે હરીફ ટીમ માત્ર 133 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. જોકે રવિન્દ્ર જાડેજાની વાપસીને લઇને ટીમ ઇન્ડિયા ખુશ છે કેમ કે આગામી સમયમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે, અને આ પછી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં પણ ટીમ ઇન્ડિયાએ દમ બતાવવાનો છે. 


26 જાન્યુઆરને ગુરુવારે મેચમાં, રવિન્દ્ર જાડેજાએ પોતાનો કમાલ બતાવ્યો, તામિલનાડુએ પ્રથમ ઈનીંગમાં 324 રન બનાવ્યા હતા. જાડેજાએ 7 વિકેટ ઝડપતા તામિલ ટીમ માત્ર 133 રન 36.1 ઓવરમાં નોંધાવીને સમેટાઈ ગઈ હતી. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.


મેચની હાઇલાઇટ્સ ડિટેલ્સ - 
તામિલનાડુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ ઈનીંગમાં ઈન્દ્રજીત, વિજય શંકર અને શાહરુખ ખાનની અડધી સદીની મદદથી 324 રન 142.4 ઓવરની રમત રમીને નોંધાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રની ટીમે 192 રન નોંધાવ્યા હતા. આમ 132 રનની લીડ મેળવી હતી. બીજી ઈનીંગમાં 133 રન તામિલનાડુએ નોંધાવ્યા હતા. આમ સૌરાષ્ટ્રને 266 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.


જાડેજાએ પ્રથમ ઈનીંગમાં માત્ર 15 રનની ઈનીંગ રમી હતી. તેની વિકેટ અપરાજીતે લેગ બિફોર આઉટ કર્યો હતો. ચિરાગ જાનીએ સૌથી વધુ 49 રન નોંધાવ્યા હતા. બીજી ઈનીંગમાં સૌરાષ્ટ્રે 3 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જય ગોહિલ 10 બોલ રમીને શૂન્ય રને પરત ફર્યો હતો. ચેતન સાકરીયા 1 રને અને હાર્વિક દેસાઈ 3 રન સાથે રમતમાં રહ્યા