પંતની બેટિંગને લઇને રાઠોરે કહ્યું કે, ઋષભ જ્યારે એકવાર રન બનાવવા શરૂ કરી દેશે ત્યારે તે એક મોટો ખેલાડી બની જશે. પંતની અંદર ઘણી ક્ષમતા છે અને તે કોઇપણ વિરોધી ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝ સામે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતને આઠ વિકેટે હાર મળી હતી, જોકે, આ મેચમાં ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન ઋષભ પંતે જ બનાવ્યા હતા.
પંતે અય્યર સાથે મળીને સારી બેટિંગ કરી હતી, પંતે 69 બૉલમાં 71 રનની ઉપયોગ ઇનિંગ રમી હતી, જોકે, ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.