નવી દિલ્હીઃ ભારતના સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્માને દેશમાં રમતના સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેની સાથે પહેલવાન વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, અને 2016 પેરાલેમ્પિકના ગૉલ્ડ મેડલ વિજેતા મરિયપ્પન થંગાવેલૂને પણ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નામાંકિત કરવામાં કરાયા છે.


આ ફેંસલો રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જૂન અને બીજા રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોને નક્કી કરવા માટે મંગળવારે પસંદગી પેનલ બેઠકમાં લેવામાં આવ્યો. પુરસ્કારની પુષ્ટિ હવે રમત મંત્રી કરશે. એકવાર મંત્રી દ્વારા પુષ્ટિ કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવંદ પુરસ્કાર પ્રદાન કરશે. જો રોહિત શર્માને પુરસ્કાર મળે છે, તો તે આવુ કરનારો ચોથો ક્રિકેટર બની જશે. આ પહેલા સચિન તેંદુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલીને ખેલ રત્ન મળી ચૂક્યો છે.

આ વર્ષે મેમાં જમણેરી બેટ્સમેનને બીસીસીઆઇ દ્વારા પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યો હતો. બેટથી રોહિત શર્માએ વર્ષ 2019ના વનડે ફોર્મેટમાં કેટલાક રેકોર્ડ નોંધાવ્યા છે. તેને વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી તરીકે વર્ષ પુરુ કર્યુ છે, વનડેમાં એક વર્ષમાં સાત સદી સાથે 1490 રન બનાવ્યા છે. કેલેન્ડર વર્ષમાં કોઇપણ ખેલાડી દ્વારા આ સૌથી વધુ છે.

વળી, 2019 વનડે વર્લ્ડકપમાં સૌથી મજબૂત બેટ્સમેન બન્યો. તે 648 રન કરી ટૉપ સ્કૉરર રહ્યો અને રોહિતે વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં તેને આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યરથી નામિત કરવામાં આવ્યો હતો.