શિખર ધવન (Shikhar Dhawan) ના ડિવોર્સના  સમાચાર સામે આવ્યા છે. તેની પત્ની આયેશા મુખર્જી (Aesha Mukerji) ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં, આયેશા મુખર્જીએ એક ભાવનાત્મક પોસ્ટ લખી છે અને છૂટાછેડાને લગતી બાબતો લખી છે. શિખર ધવન અને આયેશા મુખર્જીના લગ્નને નવ વર્ષ થયા છે. 2012 માં બંનેએ લગ્ન કર્યા હતા. ધવન અને આયેશાને જોરાવર નામનો પુત્ર પણ છે.



આયેશા શિખર કરતા 10 વર્ષ મોટી છે. તેના પહેલા લગ્નથી તેને બે પુત્રીઓ છે. જ્યારે ધવન અને આયેશાના લગ્ન થયા ત્યારે ઘણા સવાલો ઉભા થયા હતા. પરંતુ ધવનની માતાએ તેને ટેકો આપ્યો હતો. ત્યારબાદ 2014 માં આયેશાએ ધવનના પુત્ર જોરાવરને જન્મ આપ્યો હતો.


વર્ષ 2020 ના અરસા દરમ્યાન બંનેના સંબંધો વચ્ચે ખટાશ સર્જાઇ હોવાના સમાચારો પણ સામે આવવા લાગ્યા હતા. બંનેએ એકબીજાને સોશીયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા. સાથે જ આયેશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શિખર ધવનની તસ્વીરોને પણ હટાવી લીધી હતી. જોકે ધવનના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આયશાની તસ્વીરો યથાવત રહી હતી.


આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા વિશે લખ્યું હતુ, એકવાર છૂટાછેડા લીધા પછી એવું લાગતું હતું કે બીજી વખત ઘણું બધું દાવ પર છે. મારી પાસે સાબિત કરવા માટે ઘણું હતું. જેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટી ગયા, ત્યારે તે એકદમ ડરામણું હતુ.



મજેદાર વાત છે કે, શબ્દોના કેટલા શક્તિશાળી મતલબ અને સંબંધ હોઇ શકે છે. હું છૂટાંછેડાના રુપમાં પોતાના થી આ મહેસૂસ કર્યુ. પ્રથમ વાર મારા છૂટાંછેડા થયા ત્યારે ખૂબ ડરેલી હતી. મને લાગ્યુ જાણે હું નિષ્ફળ થઇ ગઇ હોઉ અને હું તે સમયે કંઇક ખોટુ કરી રહી હતી.


મને લાગ્યુ જાણે મે સૌને નિચા દેખાડ્યા છે અને સ્વાર્થી જેવી પણ લાગી હતી. મને લાગ્યુ હતુ કે, હું મારા માતા પિતાને નિરાશ કરી રહી છુ. મને લાગે છે કે હું મારા બાળકોને નિચા દેખાડી રહી છુ અને કેટલીક હદ સુધી મને એમ પણ લાગે છે કે, મે ભગવાનનુ પણ અપમાન કર્યુ છે. તલાક ખૂબ ખરાબ શબ્દ હતો.