PAK vs SL 2nd ODI: પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની બીજી વન-ડે  આજે (13 નવેમ્બર) રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. યજમાન ટીમ 1-0થી આગળ છે, જેણે પહેલી વનડેમાં શ્રીલંકાને 6 રનથી હરાવ્યું હતું. પહેલી વનડે પણ ઘટના સ્થળથી 17 કિલોમીટર દૂર રાવલપિંડીમાં રમાઈ હતી. વિસ્ફોટ બાદ શ્રીલંકાની ટીમને કડક સુરક્ષા હેઠળ સ્ટેડિયમ લઈ જવામાં આવી હતી જેથી પ્રથમ વનડે સમયપત્રક મુજબ રમાય, પરંતુ બીજી વનડે યોજાય તેને લઈને આશંકા છે. 

Continues below advertisement

Continues below advertisement

ખેલાડીઓ શ્રેણી યથાવત રાખવા તૈયાર નથી

મીડિયા રિપોર્ટ્સ  અનુસાર, શ્રીલંકાના ખેલાડીઓએ સુરક્ષા પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને શ્રેણી ચાલુ રાખવા તૈયાર નથી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે શ્રીલંકા ક્રિકેટ (SLC) મેનેજમેન્ટે ખેલાડીઓને બાકીની મેચો રમવા માટે કહ્યું છે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.

PCB અધિકારીઓએ શ્રીલંકા ક્રિકેટને ખાતરી આપી છે કે શ્રીલંકાની ટીમ માટે મહત્તમ સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. તેમ છતાં ખેલાડીઓ પરિસ્થિતિ અંગે ચિંતિત હોવાનું કહેવાય છે. શ્રીલંકા બીજી વનડે રમવાનું છે, જોકે ખેલાડીઓ, SLC અને પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ વચ્ચે વધુ ચર્ચા થવાને કારણે મેચ અનિશ્ચિત છે.

નોંધનીય છે કે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કોર્ટની સામે જ એક આત્મઘાતી હુમલો થયો. કોર્ટની બહાર પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો, જેમાં 12 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. ઉલ્લેખનીય છે કે 2009માં આતંકવાદીઓએ ગદ્દાફી સ્ટેડિયમ નજીક શ્રીલંકન ટીમની બસ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ 10 વર્ષ સુધી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાયું ન હતું.

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે 13 નવેમ્બર, ગુરુવારના રોજ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જો આ મેચ થાય છે તો પાકિસ્તાન તેને જીતવાનો અને શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો લક્ષ્ય રાખશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે શનિવાર, 15 નવેમ્બરના રોજ રાવલપિંડીમાં પણ રમાવાની છે. 

નકવીએ ખેલાડીઓ સાથે મુલાકાત કરી

ઇસ્લામાબાદમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમની સુરક્ષા કડક કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ અને ગૃહમંત્રી મોહસીન નકવીએ શ્રીલંકન ટીમના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. જોકે, ખેલાડીઓ સંમત ન હતા.

ત્રણ વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લી ઘડીએ રાવલપિંડીમાં શ્રેણી રદ કરી હતી અને સુરક્ષા ખતરા અંગે વિશ્વસનીય માહિતી મળ્યા બાદ મેચ રમ્યા વિના પરત ફરી હતી.