રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ક્રિકેટર અવિ બારોટનું નિધન થયું છે. અવિનું હાર્ટ એટેકેના કારણે મોડી રાતે નિધન થયું. અવિ બારોટ બેટ્સમેન અને વિકેટ કિપર હતા. તેમના નિધન પર સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.


અવિ બારોટે બે દિવસ પહેલા ગુજરાત સામેની રણજીટ્રોફીમાં ૪૫ બોલમાં ૭૨ રન ફટકાર્યા હતા. આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ૩૮ બોલમાં ૧૨૨ રન ફટકાર્યા હતા. અવિ બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશ (SCA)ને શોક વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના (SCA)ના ચેરમેન જયદેવ શાહે અવિ બારોટને શ્રધ્ધાંજલિ આપી છે.