WLC 2024: ટી20 વર્લ્ડ કપ 2024 જૂન 29 ના રોજ સમાપ્ત થશે, જેના થોડા દિવસો પછી યુનાઇટેડ કિંગડમના 3 શહેરોમાં પ્રથમ-વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટ 3 જુલાઈથી 13 જુલાઈ સુધી ચાલશે અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) તેના આયોજનમાં મદદ કરી રહ્યું છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભાગ લેશે. આ તમામ ટીમો નિવૃત્ત ક્રિકેટરોને એકસાથે લાવીને તૈયાર કરવામાં આવશે. હવે ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે કે આ લિજેન્ડ્સ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.


ભારતીય ટીમને 'ઈન્ડિયા ચેમ્પિયન્સ' નામ આપવામાં આવ્યું


ભારતીય ટીમને 'ઈન્ડિયા ચેમ્પિયન્સ' નામ આપવામાં આવ્યું છે, જેની કેપ્ટન્સી યુવરાજ સિંહને સોંપવામાં આવી છે. આ ટીમમાં સુરેશ રૈના, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, હરભજન સિંહ અને રોબિન ઉથપ્પા પણ રમતા જોવા મળશે. શુક્રવારે નવી દિલ્હીમાં 'ઈન્ડિયા ચેમ્પિયન્સ' ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી હતી. આ જર્સી લોન્ચિંગ સેરેમનીમાં સુરેશ રૈના, આરપી સિંહ અને રાહુલ શર્મા પણ હાજર હતા. ઇન્ડિયા ચેમ્પિયન્સ ફ્રેન્ચાઇઝીની માલિકી સલમાન અહેમદ, સુમંત બહલ અને જસપાલ બહારાની છે, જેઓ યુનાઇટેડ કિંગડમ, યુએઇ અને કતારમાં પણ બિઝનેસ કરે છે.


યુવરાજ સિંહે ખુશી વ્યક્ત કરી હતી
ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળવા પર યુવરાજ સિંહે કહ્યું, "મારો ઈંગ્લેન્ડ સાથે અતૂટ સંબંધ છે અને હવે અહીં ઈન્ડિયા ચેમ્પિયન્સના કેપ્ટન તરીકે રમવું એ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. મને હજી પણ નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલ યાદ છે. હું અહીંના વાતાવરણની આદત પડવાની અને ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમવાનો આવો વિશેષ અનુભવ કરાવતા અદ્ભુત ક્રાઉડની સામે રમવાની રાહ જોઈ રહ્યો છું.


ઈન્ડિયા ચેમ્પિયન્સની ટીમ 
યુવરાજ સિંહ (કેપ્ટન), હરભજન સિંહ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, યુસુફ પઠાણ, ગુરકીરત માન, રાહુલ શર્મા, નમન ઓઝા, રાહુલ શુક્લા, આરપી સિંહ, વિનય કુમાર, ધવલ કુલકર્ણી.


આ પણ વાંચો....


IPL 2025: મેગા ઓક્શનમાં ફક્ત આટલા ખેલાડીઓને જ કરી શકાશે રિટેન, BCCIએ ટીમોને આપ્યો ઝટકો


T20 WC: કાલથી શરુ થશે ટી20 વિશ્વ કપ, શું ક્રિકેટરસિયાઓએ કરવા પડેશે રાત ઉજાગરા? જાણો ભારતમાં કેટલા વાગ્યે શરુ થશે મેચ