India vs Australia, WTC Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7મી જૂનથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ રમાશે, આ ટેસ્ટ મેચમાં બન્ને ટીમો ટ્રૉફી માટે આમને સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ શાનદાર મેચ ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમાશે અને આ મેચમાં ત્રણ નવા નિયમો લાગુ પડશે. વળી, આ ટાઇટલ મેચ કુકાબુરા અથવા એસજી બૉલને બદલે ખાસ પ્રકારના બૉલથી રમાશે.


ઇંગ્લેન્ડના મેદાન પર રમાશે ફાઇનલ મેચ  - 
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની બીજી આવૃત્તિની અંતિમ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. 7 થી 11 જૂન વચ્ચે રમાનારી આ મેગા મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 અને ભારતે 32 મેચ જીતી છે. વળી, 29 ટેસ્ટ મેચ ડ્રૉમાં પરિણમી છે, અને 1 ટાઈ રહી છે.


ડ્યૂક બૉલથી રમાશે ફાઇનલ ટેસ્ટ - 
ટેસ્ટ ક્રિકેટ ભારતમાં SG બૉલથી અને ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરાથી રમાય છે. વળી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ ડ્યૂક બૉલથી રમાશે. ભારતીય ટીમે IPL દરમિયાન જ ડ્યૂક બૉલથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી, જેથી ટીમને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.


ફાઇનલમાં જોવા મળશે આ ત્રણ નવા નિયમો - 
1- ફાસ્ટ બૉલરોનો સામનો કરતી વખતે બેટ્સમેન માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.
2- ફાસ્ટ બૉલિંગ સામે સ્ટમ્પની સામે વિકેટકીપિંગ કરતી વખતે વિકેટકીપરનું હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.
3- જો વિકેટની સામે ફિલ્ડર બેટ્સમેનની નજીક ફિલ્ડિંગ કરે છે, તો તેના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.


 


ઈંગ્લેન્ડમાં બેટિંગ સરળ નથી - રોહિત શર્મા


ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વધુમાં કહ્યું કે મારું માનવું છે કે તમારે હંમેશા ક્રિઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે તમારું ધ્યાન ગુમાવો છો તો તમારી સમસ્યાઓ વધી શકે છે.  રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા પોતાની વાત સામે રાખી રહ્યો હતો.   આ સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટને જણાવ્યું   કે એક બેટ્સમેન તરીકે ઈંગ્લેન્ડની પીચો પર રમવામાં શું-શું મુશ્કેલીઓ આવે છે. જો કે તેણે કહ્યું કે અમારી ટીમ આ પડકાર માટે તૈયાર છે.


શું ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી શકશે ?


ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા સામે કાંગારુઓનો સામનો થશે. બંને ટીમો 7મી જૂનથી ઓવલના મેદાન પર આમને-સામને થશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ભારતીય ચાહકોને આશા છે કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ચોક્કસપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવવામાં સફળ થશે. 


ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.