પદ્મ ભૂષણ ધોનીઃ જે દિવસે ટીમ ઈન્ડિયાને જીતાડ્યો હતો વર્લ્ડકપ, તે દિવસે જ મળ્યું સન્માન
ભારતના બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીએ 79 બોલમાં 91 રન બનાવ્યા. ધોનીએ સિક્સ ફટકારીને સિક્સ ફટકારીને બધાના દિલ જીતીને સાબિત કરી દીધું કે તેમને બેસ્ટ ફિનિશર એમ જ કહેવામાં આવતો નથી.
એક સમયે ટીમ ઈન્ડિયા 114 રનો પર 3 વિકેટ ગુમાવી ચૂકી હતી. ઓપનર ગંભીર પિચ પર હતો અને તેનો સાથ આપવા માટે યુવરાજને આવવાનું હતું, પરંતુ બધાને આશ્ચર્યમાં નાંખતા પોતે કેપ્ટન ધોની મેદાનમાં ઉતર્યો હતો. ધોનીએ ધમાકેદાર ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. ધોની મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
ટીમ ઈન્ડિયા એવી પહેલી યજમાન ટીમ બની જેને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. આ પહેલા કોઈપણ યજમાન ટીમ પોતાની ધરતી પર વર્લ્ડકપ જીતી શકી નહતી. ટીમ ઈન્ડિયા ટાર્ગેટનો પીછો કરતાં ચેમ્પિયન બનનાર ત્રીજી ટીમ બની. આ પહેલા વર્લ્ડકપના ઈતિહાસમાં બે વખત આવું થઈ ચૂક્યું છે.
2011માં 2 એપ્રિલના રોજ ધોનીએ 28 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં નુવાન કુલાસેકરના બોલર પર જોરદાર સિક્સ ફટકારીને લાખો ફેન્સનું સપનું પૂરું કર્યું હતું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ધોનીને આ સન્માન આપ્યું હતું. ધોની ઉપરાંત ભારતના બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -