આફ્રીદીએ લખ્યું કે જાવેદ ભાઈ માટે મને ખૂબ જ સમ્માન છે, તે અમારા હિરો છે, તે મારા ગુરૂ છે. હુ ક્યારેય તેમની આલોચના ન કરી શકું.
જાવેદ મિયાદાદે એક ટીવી ઈંટરવ્યુંમાં આફ્રીદી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ વિવાદ વધતા આફ્રીદીએ ટ્વીટર પર મિયાદાદને લઈને ટીપ્પણી કરી હતી.
જાવેદ મિયાદાદ વિરૂધ્ધની ટીપ્પણીઓથી નારાજ દાઉદે આફ્રીદીને ફોન કરી ચુપ રહેવા માટે કહ્યું હતું. જ્યારે વસીમ અકરમ જેવા ખેલાડીઓ આ બંને વચ્ચો સુલેહ કરવા માટે લાગ્યા છે. પરંતુ દાઉદની ધમકી બાદ આફ્રીદી ડરેલો છે, અને સમાધાનના પ્રયાસ કરી રહ્યો છે.