નવી દિલ્હીઃ ભારતીય ટીમ આગામી બીજી ટેસ્ટ મેચ, એટલે કે 22થી 26 નવેમ્બરે રમાનારી બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ ડે-નાઇટ ટેસ્ટ મેચ તરીકે રમવાની છે. મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાશે, પણ ખાસ વાત એ છે ભારતીય ટીમ પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાની છે કોઇની પાસે ગુલાબી બૉલથી રમવાનો અનુભવ નથી. ત્યારે બે ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને મદદ કરશે.


ખરેખરમાં, વાત એમ છે કે, ડે-નાઇટ ટેસ્ટ ગુલાબી બૉલથી અને દૂધિયા રોશનીમાં રમાય છે, જ્યારે ભારતીય ટીમે અત્યાર સુધી ફક્ત લાલ અને સફેદ બૉલ ક્રિકેટ જ રમી છે. ત્યારે ગુબાલી બૉલ ક્રિકેટ રમવી ટીમ માટે મુશ્કેલ બની શકે છે. પણ ભારતીય ટીમમાં બે ક્રિકેટર એવા છે જેને આ અનુભવ મેળવો છે, એટલે કે ગુલાબી બૉલ સાથે દૂધિયા રોશનીમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે.



વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને મોહમ્મદ શમી ઘરેલુ ક્રિકેટમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. બન્ને ખેલાડીઓએ 2016માં ઇડન ગાર્ડન્સમાં સીએબીની સુપર લીગ ફાઇનલમાં ડે-નાઇટ ક્રિકેટ મેચ રમી હતી.



કહી શકાય છે સાહા અને શમીનો અનુભવ ભારતીય ટીમે મદદરૂપ સાબિત થશે.