વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ
abpasmita.in | 08 Jun 2019 07:29 AM (IST)
આઈસીસીએ નિવેદનમાં કહ્યું છે કે, આઇસીસી ઇવેન્ટના નિયમ કોઇ ખાનગી સંદેશ અથવા લોકોને કોઇપણ સામાન કપડાં પર દેખાડવાની મંજૂરી નથી આપતું.
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીના કીપિંગ ગ્લવ્સ પર સેનાના બલિદાન લોકોને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે આઈસીસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ક્રિકેટની સૌથી મોટી સંસ્થા આઈસીસીએ બીસીસીઆઈની અપીલને ફગાવી દીધી છે જેમાં તેએ આઈસીસીને ધોનીના બેજવાળા ગ્લવ્સ પહેરવાની મંજૂરી આપવા માટે કહ્યું હતું. આઈસીસીએ નિવેદનમાં કહ્યું છે કે, આઇસીસી ઇવેન્ટના નિયમ કોઇ ખાનગી સંદેશ અથવા લોકોને કોઇપણ સામાન કપડાં પર દેખાડવાની મંજૂરી નથી આપતું. સાથે જ લોકો વિકેટકિપરના ગ્લવ્સને લઇને જાહેર નિયમનું ઉલ્લંઘન છે. આ પહેલા વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ચિન્હ સાથેના વિકેટકિપિંગ ગ્લવ્સ પહેરીને મેદાનમાં ઉતરનાર ટીમ ઇન્ડિયાના વિકેટકિપર એમ.એસ. ધોનીને બીસીસીઆઇનો સાથ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટ તરફથી રચાયેલી સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે નિવેદન આપ્યું હતું કે, ધોનીએ આઇસીસીનો કોઇ નિયમ તોડ્યો નથી. પીટીઆઇ સાથેની વાતચીત દરમિયાન વિનોદ રાયે કહ્યું હતું કે, ધોનીના ગ્લવ્સમાં લાગેલા નિશાનનું ભારતીય વાયુ સેના કે સુરક્ષાદળો સાથે કોઇ સંબંધ નથી. આવી સ્થિતિમાં નિયમ તૂટવાનો કોઇ પ્રશ્ન જ ઊભો થતો નથી. વિનોદ રાયે જાણકારી આપી હતી કે, બીસીસીઆઈએ પહેલાથી જ ધોનીના મામલામાં આઇસીસીને અપીલ કરી દીધી છે.