સુત્રો અનુસાર, ડેલ સ્ટેન ખભાની ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે તે બાકીની મેચોમાં આરસીબી તરફથી નહીં રમી શકે. સ્ટેના ખભામાં ઇજાની સાથે સોજો પણ આવી ગયો છે જેના કારણે તે આગળની મેચો નહીં રમી શકે.
ગઇકાલની પણ બેંગ્લૉર અને પંજાબની મેચમાં પણ ડેલ સ્ટેન ન હતો રમ્યો, ટૉસના સમયે જ કેપ્ટન કોહલીએ તેની જાણકારી આપી હતી કે ડેલ સ્ટેન પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે.