વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી વિશે કરી એવી ભવિષ્યવાણી કે.....

વિરાટે માત્ર 200 વન-ડે ઈનિંગ્સમાં 35 સદી નોંધાવી લીધી છે અને છેલ્લા બે વર્ષમાં 12 સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તેના હાલના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે, આવનારા બે-ત્રણ વર્ષમાં જ સચિનને પાછળ છોડી દેશે.
દક્ષિણ આફ્રિકા સામેની છ વન-ડેની શ્રેણીમાં વિરાટે ત્રણ સેન્ચુરી સાથે 558 રન બનાવ્યા. હવે તેના નામ 35 વન-ડે સેન્ચુરી નોંધાઈ ગઈ છે. વન-ડેમાં સચિન તેંડુલકર 49 સેન્ચુરી સાથે સૌથી આગળ છે.
આમાં જ એક યૂઝરે તેને પૂછ્યું હતું કે, વિરાટ કોહલી પોતાના વન-ડે કરિયરમાં કેટલી સેન્ચુરી લગાવશે? વીરુએ આના જવાબમાં કહ્યું, ’62 સેન્ચુરી.’
વિરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી વિશે એક ભવિષ્યવાણી કરી છે. સેહવાગે ટ્વિટર પર #AskViru હેશટેગ ચલાવ્યું હતું, જેના દ્વારા ફેન્સ તેને સવાલ પૂછતા હતા અને સેહવાગ તેના જવાબ આપતો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જરબદસ્ત ફોર્મમાં ચાલે છે. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રમવામાં આવેલ વનડે સીરીઝની છ મેચમાં કોહલીએ ત્રણ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી હતી. વિરાટની બેટિંગ જોઈને ક્રિકેટ દિગ્ગજો વિરાટના ભરપૂર વખાણ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટોક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ કોહલીની ઇનિંગ જોઈને તેને હાલના સમયનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેરત કર્યો હતો.