લખનઉઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ઉત્તરપ્રદેશના સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પીઆરડી અને નાગરિક સુરક્ષા મંત્રી ચેતન ચૌહાણનું નિધન થયું છે. 73 વર્ષીય ચેતન ચૌહાણની તબિયત ખરાબ થયા બાદ તેમને શુક્રવારે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા.


જુલાઈમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાથી મુક્ત થઈ રહ્યા હતા તે દરમિયાન શુક્રવારે કિડની અને બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. જે બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની હાલતમાં સુધારો ન થતાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું દુઃખદ અવસાન થયું હતું.



ચેતન ચૌહાણ (72) બે વખત બીજેપીના લોકસભા સાંસદ રહી ચુક્યા છે. ગત વર્ષે તેઓ યોગી કેબિનેટમાં રમત ગમત મંત્રી હતા, બાદમાં તેમનો પોર્ટફોલિયો બદલવામાં આવ્યો હતો.



ચેતન ચૌહાણની ઈન્ટરનેશનલ કરિયર

ચેતન ચૌહાણે ઈન્ટરનેશનલ કરિયરમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે અનેક યાદગાર ઈનિંગ રમી છે. ગાવસ્કર સાથે ચેતનનો તાલમેલ અદભૂત હતો. ચેતન ચૌહાણે 40 ટેસ્ટની 68 ઈનિંગમાં 16 અડધી સાથે 2084 રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે. જ્યારે 7 વન ડેમાં 153 રન બનાવ્યા છે.

Suresh Raina Retirement: સુરેશ રૈનાએ નિવૃત્તિ બાદ શું લખ્યો ઈમોશનલ પત્ર, જાણો વિગત

 અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે